SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ શકાય છે. કહ્યું છે કે શાસ્ત્રશ્રવણથી કલ્યાણ માર્ગને જાણે છે, પાપમાર્ગને પણ શાસ્ત્રશ્રવણથી જાણે છે ઉપરોક્ત બને પણ શાસ્ત્રશ્રવણથી જાણી શકાય છે, માટે આ બેમાંથી જે રુચે અગર કલ્યાણકારી હોય તેનું આચરણ કરો, કારણ કે નિકટભવી હોય અને ધર્મધનયુક્ત હોય તો પણ શાસ્ત્રશ્રવણ વિના તેનો એક પણ અર્થ સરી શકતો નથી. અર્થ અને કામમાં ઉપદેશની જરૂર પડતી નથી, કેમકે અનાદિકાળની વાસના હોવાનેલીધે સારી દુનિયા તેમાં મોહી રહી છે-મુંઝાઈ ગઈ છે તેથી તે બને જલ્દીથી ઉદયમાં આવે છે પણ ધર્મને આચરેલ નહિ હોવાથી તેને આદરવો જોઈએ. સગરૂ વિના સાચો બોધ, બીજો કોઈ બતાવી શકતો નથી. માટે આળસ, નિદ્રા વિકથા, પ્રમાદ, મિથ્યાત્વ છોડી શાસ્ત્રશ્રવણ કરો. अंहसंतति भूधरे कुलिशति क्रोधानले नीरति, स्फुर्जद्जाड्यतमोभरे मीहिरतिश्रेयोद्रुमे मेघति, माद्यन्मोहसमुद्रशोषणविधौ कुंभोद् भवत्यन्वहं, सम्यग्धर्म विचारसारकलितस्या कर्णनंदेहिनाम् ॥१॥ ભાવાર્થ : ધર્મવિચારનું સારપણું જેને વિષે અત્યંત રહેલું છે એવું પરમાત્માનું વચન શ્રવણ કરવાથી દેહધારી મનુષ્યોને તે વચન પાપના સમૂહરૂપી પર્વતને વિષે વજ સમાન આચરણ કરે છે. જેમ વજ પર્વતને તોડી પાડે છે તેમ પરમાત્માનું વચનરૂપી વજ પ્રાણિયોના પાપરૂપી પર્વતોને તોડી પાડે છે અને જેમ અગ્નિને બુઝાવવા પાણી શક્તિમાન છે તેમજ ક્રોધરૂપી દાવાનલને વિષે પાણીના સમાન પરમાત્માની વાણી આચરણ કરે છે, અર્થાત્ પરમાત્માની વાણીરૂપી પાણીના યોગે ભવ્યાત્મ જીવોનો ક્રોધરૂપી અગ્નિ બુઝાઈ જાય છે. જેમ સૂર્યના કિરણ યોગે ઘણો અંધકાર નાશ પામે છે તેમ પરમાત્માના વચનને શ્રવણ કરવાથી પરમાત્માના વચનો ભવ્ય જીવોના જડતારૂપી અંધકારને નાશ કરે છે. વૃક્ષના ઉપર પાણી પડવાથી જેમ નવપલ્લવિત થાય છે તેમ પરમાત્મા GO Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005494
Book TitleVividh Vishay Vicharmala Part 08
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy