SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ વચન રૂપી પાણીવડે ભવ્યાત્મા જીવોના કલ્યાણરૂપી વૃક્ષને સિંચન કરી નવપલ્લવિત બનાવે છે. જેમ અગસ્તિ ઋષિ સમુદ્રના પાણીનું શોષણ કરી જાય છે તેમ પરમાત્માનું શ્રવણ કરેલ વચન મદોન્મત્ત મોહરૂપી સમુદ્રને શોષણ કરવામાં નિરંતર અગસ્તિ ઋષિના સમાન થાય છે. અર્થાત્ પરમાત્માની વાણી શ્રવણ કરવાથી ભવ્ય જીવોનો મોહરૂપી સમુદ્ર શોષાઈ જાય છે. એવું સમજી નિરંતર વીતરાગની વાણીનું પાન કરવું. શાસ્ત્રશ્રવણ परलोकविधौ शास्त्रात्, प्रायो नान्यदपेक्षते । आसन्नभव्यो मतिमान्, श्रद्धाधनसमन्वितः ॥१॥ उपदेशं विनाप्यर्थकामौ पतिपदुर्जनाः । धर्मस्तु नविनाशास्त्रादिति तत्रादरो हितः ॥२॥ पापामयौषधं शास्त्रं शास्त्रं पुन्यनिबंधनम् । चक्षुः सर्वत्रगं शास्त्रं, शास्त्रं सर्वार्थसाधकम् ॥३॥ मलिनस्य यथात्यंतं, जलं वस्त्रस्य शोधनम् । अंत: करणरत्नस्य, तथा शास्त्र विदुर्बुधाः ॥४॥ शास्त्रे भक्तिर्जगवंद्यैर्मुक्तिदूतिपरोदिता । अत्रवेयमतो न्यायात्तत् प्राप्त्या सन्नभावतः ॥५॥ श्रुत्वा धर्म विजानाति, श्रुत्वा त्यजति दुर्मतिम् । श्रुत्वा ज्ञानमवाप्नोति, श्रुत्वा मोक्षं च गच्छति ॥६॥ ભાવાર્થ : નિકટભવી, બુદ્ધિમાન, અને શ્રદ્ધારૂપી લક્ષ્મીયુક્ત મહાનુભાવ જીવ, પરલોકની વિધિને વિષે, પ્રાયઃ કરી અન્યની અપેક્ષા રાખતો નથી, ઉત્તમ જીવ શાસ્ત્રશ્રવણથી જ પરલોકના માર્ગને જાણે છે. (૧) ઉપદેશ વિના પણ લોકો, અર્થ અને કામ બને અંગીકાર કરે છે, પરંતુ ધર્મ તો શાસ્ત્રશ્રવણ વિના જાણી શકતો નથી, એમ જાણી શાસ્ત્રશ્રવણમાં આદર કરવો તે હિતાવહ છે, (૨) શાસ્ત્ર પાપરૂપી રોગને નાશ કરવા ઉત્તમ ઔષધ છે, શાસ્ત્ર પુણ્યકર્મબંધનનું નિદાન કરણ છે, ૯૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005494
Book TitleVividh Vishay Vicharmala Part 08
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy