SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ જાણતો અને કર્મના પરિણામથી પ્રેરાયેલો મનુષ્ય પણ શોક કરે છે. જન્મ, જરા, અને મરણોવડે ચાર ગતિમાં, અનેક વા૨ પર્યટન કરી, ઘણી જ મુશ્કેલીથી જે મનુષ્યપણું મેળવેલ છે, તે વીજલીના ઝબકારા જેવું ચંચળ અને દુર્લભ મનુષ્યપણું પામ્યા બાદ વ્યર્થ ગુમાવી દે છે, અને ધર્મકર્મને કરતો નથી, તે સત્પુરુષ નથી, પરંતુ કાપુરુષ છે, કનીષ્ટ છે એમ જાણવું. જે જીવો અમૂલ્ય મનુષ્ય જન્મને પામીને, પ્રમાદ કરી સત્ય ધર્મના લાભથી વંચિત રહી જાય છેતેઓ કલ્પવૃક્ષ પામીને પણ યાચના કર્યા વિનાના દરિદ્ર રહેનારા મનુષ્યો જેવા જ છે. અપાર જલથી ભરેલા સમુદ્રમાં ડૂબનારાઓને નાવડું મલ્યા છતાં પણ, નહિ નીકલી શકનારા મનુષ્ય જેવા, સમ્યકત્વને પ્રાપ્ત કરીને ગુમાવનારા મનુષ્યો, આ લોકમાં પ્રમાદથી મનુષ્યપણું ગુમાવનારા છે. જે મનુષ્યો અનેક વ્યાધિઓથી ઘેરાયલા, વિહવલ અને પ્રમાદને વિષે તત્પર રહે છે તેઓએ ધર્મ વિના અમૃત કુંડનો પ્રાપ્ત કરી ગુમાવી દેવા જેવું કર્યું છે. કિંબહુના ? મનુષ્ય જન્મ આપીને પ્રમાદ અને પાપગ્રસ્ત થઇ અનેક પ્રકારના વ્યસનમગ્ન થઇ દસ દૃષ્ટાન્ત દુર્લભ મનુષ્ય જન્મ ને લહીને વિષયકષાયમાં મૂઢ બની લક્ષ્મીના લોભમાં ફસાઇ સંસારની જાળમાં જકડાઇ જેણે પરલોકના ભાતારૂપ ધર્મને આરાધ્યો નથી તેણે ઇહલોક પરલોક બન્ને ગુમાવ્યા છે તેમ જાણવું. શ્રુતિ મનુષ્ય જન્મ તો પૂર્વે કરેલા પ્રબલ પુન્યોદયથી કદાચ મળે છે, અને ધર્મની સામગ્રી પણ સુલભ થાય છે,પરંતુ પરમાત્માના વચનને શ્રવણ ક૨વાની રુચિ થતી નથી. પરમાત્માના વચનોને શ્રવણ કર્યા વિના મનુષ્ય જન્મ નકામો જાય છે. સારાસાર, હિતાહિત, કાર્યકાર્ય, ભક્ષાભક્ષ્ય, પેયાપેય અને લાભાલાભનું કારણ શાસ્રશ્રવણથી જ જાણી Jain Education International ૯૯ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005494
Book TitleVividh Vishay Vicharmala Part 08
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy