SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ મનુષ્યભવ પ્રધાન છે. જેમ નદીઓમાં ગંગાનદી પ્રધાન છે, ગાયોમાં કામગવી પ્રધાન છે, ઘડામાં કામઘટ પ્રધાન છે તેમ સર્વ ભવોમાં માનવભવ પ્રધાન છે. તીર્થકર, સામાન્ય કેવલી, ગણધર, પૂર્વધર, ગણિ, ચક્રવર્તી બળદેવ, વાસુદેવવિગેરે પદવીયોનોલાભ મનુષ્યગતિમાં જ થાય છે, માટે મનુષ્ય ગતિને ઉત્તમોત્તમ કહેલી છે. કેવલજ્ઞાન, કેવલદર્શન,મનઃ પર્યવજ્ઞાન આહારક શરીર તથા યથાખ્યાત ચારિત્ર, મનુષ્યગતિ સિવાય અન્ય ગતિમાં નહિ મળી શકવાથી મનુષ્યગતિ અત્યંત શ્રેષ્ઠ ગણાય છે. જંઘાચારણ અને વિદ્યાચરણની લબ્ધિ, વિજ્ઞાન અને મુક્તિ વિગેરેના લાભો મનુષ્ય ગતિ સિવાય બીજી ગતિમાં નહિ મળી શકવાથી મનુષ્ય ગતિ શ્રેષ્ઠ ગણાય છે. ઉત્તમ સત્યપાત્રમાં દાન, ધર્મના દાન શીયલ તપ ભાવના એ ચાર અંગો અને સર્વવિરતિનો લાભ , મનુષ્ય ગતિમાં જ હોવાથી મનુષ્યગતિ જ અવશ્ય આદર્શરૂપ શ્રેષ્ઠ ગણાય છે. ઉત્તમ જાતિ, કુલ, ઉત્તમ, ક્ષેત્ર, ભાષા દર્શન, જ્ઞાન, ચારિત્ર પ્રમુખ કાર્યોનો અને આર્યપુરુષોનો, મનુષ્યપણા સાથે સંબંધ હોવાથી મનુષ્યપણાની ઉત્તમા નિઃસંદેહપણે સ્વતઃ સિદ્ધ જ છે. - ઈત્યાદિક ઉપર બતાવેલ વિશેષ પ્રકારના સમસ્ત લાભોનો અભાવ, દેવગતિને વિષે હોવાથી અને મનુષ્યગતિને વિષે સંભવ હોવાથી, મનુષ્ય ગતિ જ ઉત્તમ છે. આ જગતમાં મહામહેનતે મેળવી શકાય એવા મનુષ્યજન્મને જે મનુષ્ય પામીને પરલોકને વિષે હિતકારી ધર્મને નથી કરતો તે છેવટની વખતે પશ્ચાતાપ કરનારા થાય છે. જેમ કાદવમાં ખેંચી ગયેલ હાથી, જાળમાં સપડાયેલ હરણીયો શોક કરે છે તેના પેઠે વ્યાધિ ગ્રસ્ત થયેલ વૃદ્ધાવસ્થાથી ઘેરાયેલ, છેવટની મરણનિદ્રાથી દબાયેલ, કર્તવ્યને નહિ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005494
Book TitleVividh Vishay Vicharmala Part 08
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy