SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ કહેલ આગમવાણીને લાંબા કાળ સુધી ચિત્તને વિષે સ્થાપના કરવી, કલ્પસૂત્ર સાંભળવું, પોતાના આત્માની શક્તિ પ્રમાણે તપસ્યા કરી સંવત્સરી પર્વનું આરાધન કરવું, તેમજ પ્રશંસાપાત્ર તપ કરી, તથા ધનાદિકનો વ્યય કરી પોતાના આત્માને નિર્મળ કરી, શ્રાવકોએ ચોમાસામાં ઉપરોક્ત ધર્મકાર્યો કરી ચોમાસાને વિષે બહુ જ સારું ફળ પ્રાપ્ત કરવું. શ્રાવક્તા ૧૨ વ્રતો ૫ અણુવ્રત, ૩ ગુણવ્રત, ૪ શિક્ષાવ્રત, બારવ્રતના ૧૨૪ અતિચાર. ૫ પ્રાણાતિપાતવિરમણના. ૫ મૃષાવાદવિરમણના. ૫ અદત્તાદાનવિરમણના, ૫ મૈથુનવિરમણના, ૫ પરિગ્રહ પરિમાણવિરમણના, ૫ દિશિપરિમાણવિરમણના. ૨૦ ભોગોપભોગપ્રમાણવિરમણના, ૫ અનર્થદંડવિરમણના, ૫ સામાયિક દોષ વિરમણના, ૫ દેશાવકાશિક દોષ વિરમણના, ૫ પોષધદોષવિરમણના, ૫ અતિથિસંવિભાગ વિરમણના, ૮ જ્ઞાનાચારણના. ૮ દર્શનાચારના, ૮ ચારિત્રાચારના, ૧૨ તપાચારના, ૩ વીર્યાચારના. પ સમ્યત્વના, ૫ સંલેખનાના, (ઉપદેશ સત્યાવીશમો) चत्तारि परमंगाणि, दुल्लहाणीह जंतुणो । माणुस्सत्तं सुइ सद्धा, संजमं मिय विरियं ॥१॥ ભાવાર્થ : ઈહ લોકને વિષે પ્રાણિયોને શ્રેષ્ઠ ચાર અંગો પ્રાપ્ત થવા અત્યંત દુર્લભ છે. ૧ મનુષ્યપણું, ૨ શ્રુતશ્રવણ, ૩ શ્રદ્ધા, અને ૪ સંયમને વિષે વીર્ય-એ ચાર મળવા મહાદુર્લભ છે. માનુષ્ય જન્મની ઉત્તમતા જેમ સમગ્ર પર્વતને વિષે મેરુ શ્રેષ્ઠ છે, તેમાં પણ નંદનવન વિશેષ શ્રેષ્ઠ છે, નંદનવનમાં પણ કલ્પવૃક્ષ વિશેષ ચિત્તને આકર્ષણ કરનાર ૮૬ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005494
Book TitleVividh Vishay Vicharmala Part 08
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy