SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ માતા, પિતા,વંશકોણ? દેવ, ગુરુ ધર્મ કોણ? આદરવા લાયક, ત્યાગ કરવા લાયક, જાણવા લાયક શું? એવી ચિંતવના સાથે પ્રતિક્રમણ કરવું, વિધિથી જૈન મંદિરને જાવું. દ્રવ્યભાવથી જ જિનબિંબ પૂજવાનો અભિગ્રહ કરવો, ભોજનસમયે નજીકમાં જૈનમંદિર ન હોય તો ઘરદેરાસરજીમાં જિનપ્રતિમા પાસે નૈવેદ્ય સ્થાપન કરવું, ફરીથી ચૈિત્યવંદન કરવું, કાલાદિક ઉચિત, ભોજન કરતી વખતે સાધુઓના પ્રત્યાખ્યાનનું ચિંતવન કરવું. વિકાસવેલાએ ખાવું નહિ, બે ઘડી દિવસ બાકી રહે ત્યારે આહાર કરી લેવો. યથાશક્તિ વિહાર, ચૌવિહારનું પચ્ચખ્ખાણ કરવું, પછી જૈનમંદિર જવું, ચૈત્યવંદન કરવું, સાધુઓને વંદન કરવું, શક્તિ અનુસાર તેમની ભક્તિ કરવી, વિકથા છોડી દઈ, સર્જાય ધ્યાન કરવું ઇત્યાદિ. ૪. ભાવ : અનિત્યાદિક બાર ભાવના ભાવવી, આવશ્યકાદિક ક્રિયા કરવી. દશ, વીશ, ત્રીશ લોગસ્સનો કાયમ કાઉસ્સગ્ન કરવો જૈન મતના ગાથા-પ્રકરણાદિકનો પાઠ કરવો, પોતે ભણવું, અન્ય ને ભણાવવું, ભણેલું ભૂલી ન જાય માટે નિરંતર પાઠ કરવો, ચાર શરણો કરવા, ઈહલોક, પરલોકના પાપકર્મોનેનિંદવા, પરના તથા પોતાના સુકૃત કર્તવ્યોની અનુમોદના કરવી, કષાયોને જીતવા, ઉદય આવેલાને પોતાના સામર્થ્યથી નિષ્ફળ કરવા, ઉપદેશ આપી બીજાના કષાયોને શમાવવા, વ્રત, તપ, જપ, નિયમ વિગેરે ધર્મ કર્તવ્યો ચોમાસામાં શ્રાવકોએ વિશેષ પ્રકારે અવશ્ય કરવા, व्याख्यानं श्रवण जिनालयगतिर्नित्यं गुरोर्वंदनं, प्रत्याख्यानविधानगामगिरां चित्ते चिरं स्थापनं । कल्याणकर्णनमात्मशक्तितपसा संवत्सराराधनं, श्राद्धैः श्लाध्यतपो धनादिति फलं लभ्यं चतुर्मासके ॥ ભાવાર્થ : નિરંતર વ્યાખ્યાન સાંભળવું, જિનેશ્વર મહારાજના મંદિર જેવું નિરંતર ગુરુને વંદન કરવું, પ્રત્યાખ્યાન કરવું, પરમાત્માએ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005494
Book TitleVividh Vishay Vicharmala Part 08
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy