SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ વિધિવડે કરી સત્પાત્રને વિષે દાન આપવું તથા આવશ્યકાદિકની ક્રિયા કરવી, શક્તિ અનુસાર વ્રતોનું પ્રતિપાલન કરવું, શ્રેષ્ઠ તપ કર્મનું આચરણ કરવું તેમજ ઉત્તમ પ્રકારે જ્ઞાનનો પાઠ કરવો. ઉપરોક્ત પ્રકારે શ્રાવકોને વિષે શ્રેષ્ઠ શ્રાવકનો ધર્મ શ્રી જિનેશ્વરમહારાજના આગમને વિષે કહેલો છે. શ્રાવકોને રવાના અભિગ્રહો જ્ઞાની મહારાજાએ ૧૩૮૪ ક્રોડ, ૧૨ લાખ ૮૭ હજાર, ૨૦૨ અભિગ્રહો શ્રાવકોને કરવાના કહેલ છે. ઉપરોક્ત ન બને તો મિથ્યાત્વના પરિહાર, અને સમકિત સહિત ધર્મનું આચરણ કરવું અને ચોમાસામાં વિવિધ પ્રકારના અભિગ્રહો ધારણ કરવા. ૧. દ્રવ્ય, ર ક્ષેત્ર, ૩ કાળ , ૪ ભાવ - એ ચાર પ્રકારે અભિગ્રહો કહેલ છે. ૧. દ્રવ્ય - દરેક વર્ષે પોતાની આવકના પ્રમાણમાં, સારા માર્ગમાં દ્રવ્ય ખર્ચવું. સાધુને મુખવસ્ત્રિકા વિગેરેનું દાન દેવું, ગ્લાનને દાનસાર ઔષધ આપી, રાત્રિ દિવસ તેમની ભક્તિમાં તત્પર રહેવું, લોચ કરેલ સાધુને ગોળ-ઘી વિગરેનું વિશેષ દાન દેવું, સાધર્મિકભાઈઓનું વિશેષતાથી અગર શક્તિ અનુસારે વાત્સલ્ય કરવું, જિનબિંબ, રવસ્તિક અષ્ટમંગલ વિગેરેનું પૂજન કરવું. ૨. ક્ષેત્ર -ચૈત્યાદિકનું પ્રમાર્જન કરવું, જૈન મંદિરમાં આવ્યા પછી કરવા લાયક, નહિ કરવા લાયક કાર્યોની ચિંતા કરવી, દેવદ્રવ્ય તથાદેરાસરજીના ગામક્ષેત્રાદિની સંભાળ રાખવી. ‘૩. કાળ - આઠમ, ચૌદશ તિથિયોને વિષે જિનેશ્વર મહારાજને સ્નાત્ર આરાત્રિક વિગેરે કરવા. બીજે દિવસે કરતો હોય તેના કરતા એકાસણું, આયંબિલ, નવી ઉપવાસ વિગેરે અધિક તપ કરવો, પ્રાત:કાળે નિદ્રાનાત્યાગ સાથે મસ્તકે બે હાથ લગાવી પંચ પરમેષ્ઠી મહારાજને નમસ્કાર કરવો. હું કોણ છું? ક્યાંથી આવ્યો? ક્યાં જઇશ? ૮૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005494
Book TitleVividh Vishay Vicharmala Part 08
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy