SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ યુગલિક ન થાય. ઈતિ ભગવતી સૂત્રે ૨૪ મે શતકે, બીજે ઉદ્દેશે. રૈવેયકોને વિષે જઘન્ય મધ્યમતાથી અભવ્ય જીવ ૧-૨ ઉત્પન્ન થતા ચ્યવતા હોય અને ઉત્કૃષ્ટતાથી સંખ્યાતા રહેલા હોય છે. સંખ્યાતા યોજનવાળા વિમાનને વિષે સંખ્યાતા લભ્યતે અસંખ્યાતા યોજનવાળા વિમાનને વિષે અસંખ્યાતા લભ્યતે. ઈતિ ભગવતી સૂત્રે ૧૩ મું શતકે , બીજે ઉદ્દેશે અસુરકુમાર દેવો વૈમાનિક દેવોના રત્નોને ચોરીને એકાત્તે જાય છે. ત્યારે વૈમાનિક દેવો તેને પ્રહાર કરે છે. તેની વેદના તે દેવો જઘન્ય અંતર્મુહૂર્વ અને ઉત્કૃષ્ટ છ માસ ભોગવે છે. ભગવતી ત્રીજે શતકે બીજે ઉદ્દેશે. યોગશાસ્ત્ર વૃત્તિ માં એમ કહયું છે કે પ્રાય : કરીને દેવોને અસદના તો અંતર્મુહુર્ત જ હોય છે. | સિધ્ધના જીવોને વ્યવહારચારીત્ર ન હોય. ભગવતી સૂત્રે - તિર્યકર્જુભક દેવો વ્યંતર વિશેષ વૈતાઢયને વિષે, કંચનગિરિને વિષે, ચિત્રવિચિત્ર પર્વતને વિષે વસે છે. ભગવતી ૧૪ મેં શતકે -૮ મ ઉદેશે સૂર્યના તાપથી જે ક્ષેત્ર અતિક્રાંત થયેલ હોય એટલે સૂર્યના ઉદય થયા વિના લીધેલ આહાર અને સૂર્ય ઉદય થયા પછી ખાવામાં આવે તે ક્ષેત્રાતિક્રાંતમ્ તથા બત્રીશ પ્રમાણવાળા કોળિયાનો આહાર કરતા અધિક આહાર કરવામાં આવે તે પ્રમાણતિક્રાંતમ્ ભગવતી ૭ મેં શતકે પ્રથમ ઉદેશે. તિર્યકર્જુભક દેવો તિર્ધક લોકને વિષે વસનારા વ્યતર જાતિના ધનદના કિંકર હોય છે. અને એક પલ્યોપમના આયુષ્યવાળા હોય ૧૩ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005493
Book TitleVividh Vishay Vicharmala Part 07
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy