SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ થાય. ૧. પશ્ચિમેં રત્નકંબલા શિલા છે. તેના ઉપર ૨ સિંહાસનો છે. તેના ઉપર પશ્ચિમના ૨ તીર્થકરનો અભિષેક થાય. ૨ દક્ષિણમાં અતિપાંડુકંબલા શિલા છે. તેના ઉપર એક સિંહાસન છે. તેના ઉપર ભારતના એક તીર્થકરનો અભિષેક થાય ૩. - ઉત્તરમાં અતિરક્ત શિલા છે, તેના ઉપર એક સિંહાસન છે. તેના ઉપર ઐરાવતના એક તીર્થકરનો અભિષેક થાય.૪ ધાતકીના બે મેરુ અને પુષ્કરાઈના બે મેરુ એ ચાર મેરુ થયા તેમના ઉપર શિલા અને સિંહાસન બરાબર હોય છે, પણ બબે મેરુ છે માટે બમણી શિલા તથા બમણા સિંહાસનો છે. જંબૂમાં એક મેરુમાં ૪ શિલા અને ૬ સિંહાસન છે. ધાતકીમાં બે મેરુમાં થઈને ૮ શિલા તથા ૧૨ સિંહાસનો છે, અને પુષ્કરાઈમાં બે મેરુમાં થઈને ૮ શિલા અને ૧૨ સિહાસનો છે. એ પ્રકારે અઢીદ્વીપમાં પાંચ મેરુ, વીશ શિલા અને ત્રીશ સિહાસનો છે. પાંચ ભરત અને પાંચ ઐરાવતે રાત્રિ હોય ત્યારે પાંચ મહાવિદેહમાં દિવસ હોય અને મહાવિદેહમાં દિવસ હોય ત્યારે પાંચ ભરત ને પાંચ ઐરવતમાં રાત્રિ હોય છે; માટે એક સમયે અઢીદ્વિીપમાં દશ ક્ષેત્રો ૧૦ તીર્થકરનો જન્માભિષેક થાય. મહાવિદેહના લઈને એક સમયે અઢી દ્વીપે વીશ તીર્થકરનો જન્માભિષેક થાય એવી મર્યાદા છે. ધાતકી પુષ્કરના ૪ મેરુની ઉંચાઈ પહોળાઈ કહે છે. ચારે મેરુ ૮૫000 યોજનના છે. તેમાં ૧૦૦૦ પૃથ્વીમાં અને ૮૪૦૦૦ ચારે ઉંચા છે. મૂલથી ભૂતલ સુધી ૧૦00 યોજન ઉંચા છે. ચારે મેરુ અને સમભૂતલથી ૫00 યોજન ઉંચું નંદનવન છે ત્યાંથી પ૫૫00 યોજન ઉંચું સોમન સવન છે, ત્યાંથી ૨૮૦૦૦ હજાર યોજન ઉંચું પંડકવન M૧૩૧) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005493
Book TitleVividh Vishay Vicharmala Part 07
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy