________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ દંડવડે કરી તું કર્થના કરતો દૂધનું પાન કરતો. ધણી પાસે એમ કહેતો કે આ દૂધ વિનાની નિર્દધા ભેંશ છે. પ્રસવ સમયે તેની પાડી બીજાને આપી અને અન્યનું પાડું તે ભેંશ નીચે રાખીને ધણીનું મને ભાંગવા લાગ્યો તેથી ધણીએ તને પોતાના ઘરેથી કાઢી મૂકયો અને ત્યાર પછી પંદરમે માસે મરણ પામી, અનુક્રમે કેટલાએક ભવોને વિષે ભમીને પુન્યના યોગથી અભિલિકા નગરીની સ્મશાન ભૂમિકા વિષે દેવી થઇ. આ વૃતાંત સાંભળી તે ચમત્કાર પામ્યો. ફરીથી ભગવાનને પૂછે છે કે “ભગવાન ! હું સર્વજ્ઞ કયારે થઇશ ?” ભગવાને કહ્યું કે, “સર્વજ્ઞ બે પ્રકારનાં છે : ૧ શ્રુતજ્ઞાનથી, ૨ કેવળ જ્ઞાનથી. તે કારણ માટે પૂર્વનો અભ્યાસ કર. ત્યારબાદ મેઘ મુનિ પાસે પૂર્વાનુયોગ ભણ્યા થોડા કાળમાં દશ પૂર્વ અર્થ સહિત ભણ્યા બાદ મહાવીર મહારાજા પાસે આવીને કહે છે, “મારૂ આયુષ્ય થોડું છે, તે સ્વામિનું! મને કેવલજ્ઞાનથી સર્વજ્ઞપણું કયારે પ્રાપ્ત થશે ?” ભગવાને કહ્યું કે, આજે ગંગાતટે કાયોત્સર્ગ કરી રહેવાથી ચોથા પ્રહરને છેડે તને કેવલજ્ઞાન થશે.' ત્યારબાદ શીતકાળે સંધ્યા સમયે આતાપના લેવાને માટે તે ગયો. દશવૈકાલિક સૂત્રોમાં કહ્યું છે કે – . आयावयंति गिम्हेसु, हेमंतेसु अवाउडा ।
वासासु पडिसंलीणा, संजया सुसमा हिआ ॥१॥
ભાવાર્થ : ગ્રીષ્મ ઋતુમાં તાપના લે, હેમંતરૂતુમાં વસ્ત્ર રહિત રહે વર્ષા ઋતુમાં અંગની સંસીનતા કરે આવી રીતે સંયતિઓ સદા સમાધિને ધારણ કરનારા હોય છે. ત્યારબાદ પાછળી રાત્રે રાણીનો હાર ચોરી ચોરો પલાયન થયાં તે વખતે પ્રાપારિકનો કોલાહલ સાંભળી કોટવાલ અગ્નિનો ઉદ્યોત કરી “ચોર કયાં છે ? ચોર કયાં છે ?' એમ બોલતો ભૂમિને સ્પર્શ કરતો તેની પાછળ લાગ્યો. તેથી મરણ ભયથી વ્યાકુલ થયેલા ચોરો ચારે દિશામાં નાસી ગયા. એક વૃદ્ધ ચોરનાં હાથમાં હાર રહેલો છે. તેણે થાંભલા જેવા સાધુને નહિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org