SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ તેની તથા પ્રકારે વાનરે સેવા કરી કે રાજા તેને પોતાના મિત્ર, પુત્ર, કલગથકી પણ અધિક પ્રેમપાત્ર માનવા લાગ્યો હવે પાછળ આવો પોતાના પરિવાર પાસેતે રાજાએ વાનરના સ્વરૂપને નિવેદન કરીને તેને સુખાસને વિષે સ્થાપન કરીને રાજા પોતાને નગરે લાવ્યો.ત્યાર બાદ તેને શ્રેષ્ઠ વસ્ત્રાલંકારો પહેરાવીને રાજાએ પોતાનો અંગરક્ષક કર્યો. અન્યદા પલંગને વિષે સુતેલા રાજાના ઉદર ઉપર પડેલ સર્પને દેખીને અહો ! આ મહા અનર્થના હેતુભૂત છે એવું સંભ્રમથી જાણીને તે નિર્વિવેકી પહેરીગર અંગરક્ષક વાનરે પોતાના હાથમાં રહેલ તીક્ષ્ણ તરવારનો ઘા સર્પ ઉપર કરવાથી તે સર્પ અને તેની નીચે રહેલ રાજા બન્નેના કટકા થયા અને બંને જણ મરણને પામ્યા તેથી ભક્તિવાળો વાનર પણ મૂર્ખપણાથી રાજાના મરણના હેતુભૂત થયો. (હાસ્ય મૂરખ ભરટક ક્યા) કોઇક ગામને વિષે કોઈ ભરટક પ્રિ-પુત્રા કલારહિત દુષ્કાળને વિષે ભિક્ષાર્થે ફરતો કોઇક ધોબીના ઘરને વિષે ગયોને ત્યાં સાંજે કરંબો ખાધો. ત્યારબાદ પોતાના ગામથી નીકળીને ઘણા ગામ નગરોને વિષે ફરીને શુભ ભાગ્યના ઉદયથી, મધુપુર નગરના સ્વામી નરચંદ્ર રાજાનો પુરોહિત થયો. ત્યાં તેણે ગોવિંદ એવું પોતાનું નામ પ્રગટ કર્યું. અનુક્રમે તે રાજાનો અત્યંત પ્રસાદપાત્ર થયો ? કિંબહુના તેનું કરેલું કાર્ય સારૂં અગર ખોટું પણ રાજા બહુમાન્ય કરવા લાગ્યો, કારણ કે પુરૂષોનુ ભાગ્ય નિશ્ચય સ્થાનાંતરિત હોય છે. અન્યદાતે નગરને વિષેગીત કળામાં કુશળ કુશળ નામનો ન આવ્યો, તે રાજાને પોતાની પુરાણી પણ વિસ્મય કરવાવાળી કળાને દેખાડવા લાગ્યો, પરંતુ તેની કળાને રાજા જાણે દેખતો જ ન હોય તેમ દાન કાંઈ પણ આપે જ નહિ, તેથીએક મધ્યમ પુરૂષે નટને કહ્યું કે હે નરોત્તમ ! જેમ ઉત્તર દિશાના પવન વિના મેઘ ન વરસે તેમ પુરોહિતની સંમતિ વિના રાજા તને દાન નહિ આપે, માટે તું પ્રથણ ૧૯૫) ૧૯૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005492
Book TitleVividh Vishay Vicharmala Part 06
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy