SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ द्यूतमद्यादिसंसिक्ता, मूर्खा पापरताः सदा ॥१॥ हिंसकाः सर्वजीवानां, ये नरा धृतमत्सरा : । ते सर्वे क्रमशो राजन् ! दुःखिताः स्युर्भवांतरे ॥२॥ ભાવાર્થ : નિર્દય, નાસ્તિક, પાપિઇ, પરદ્રવ્યને હરણ કરનાર, જુગાર મદ્યાદિકવડે કરી વ્યાપ્ત થયેલા, મૂર્ખ, પાપકર્મ રકત, નિરંતર, સર્વજીવોની હિંસાકરનાર અને મત્સરને ધારણ કરનારા પુરૂષો જે હોય છે તે સર્વે હે રાજન્ ! અનુક્રમે ભવાંતરને વિષે દુઃખી થાય છે. ૧ शुभकर्मविपाक-फलम्शमसंवेगवैराग्य-शमम्तार्जवसंयमाः । दयार्हद्गुरुभक्तिश्च, हेतवः शुभकर्मणाम् ॥३॥ ભાવાર્થ : શમ, સંવેગ, વૈરાગ્ય, શમતા, આર્જવ, સંયમ, દયા દેવગુરૂભક્તિ-આ વગેરે શુભ કર્મ ફળના હેતુ ભૂત છે અર્થાત્ ઉપરોક્ત તમામ શુભ કર્મને બંધાવનારા છે. ૩ (ર્મ વિષયે રાજાના ત્રણ બાબતોની ક્યા) રત્નપુરમાં ભૂપતિ નામનો રાજા વસતો હતો. તેને ત્રણ રાણીયો હતી. એકદા પ્રથમ રાણીને પુત્રી ઉત્પન્ન થઈ, તેથી તેની છત્રીને દિવસે સંધ્યાને વિષે ચંદન તથા ચણાવડે કરી લીંપન કરેલી ભૂમિ ઉપર સિંહાસન માંડીને તેના ઉપર કુકમ ભરેલો સોનાનો થાળ મૂકયો તેથી રાત્રિએ કોઈક જ્ઞાનીદેવ અવધિજ્ઞાનથી જાણીને તેના કપાળમાં લખ્યું કે આ પુત્રી નિરંતર એક પુરૂષને ભોગવનારી વેશ્યા થશે. હવે તેવા વર્ણની પંક્તિ દેખીને રાજા અને મંત્રીવર્ગાદિક વિસ્મય પામ્યા. હવે બીજી સ્ત્રીને પુત્ર થયો. તેના કપાળમાં રાત્રિયે લખ્યું કે આ કાળા એક બળદથી નિરંતર ઘાસનો ભારો આણીને પોતાનું ઉદરપોષણ કરશે. ત્રીજી રાણીને પુત્ર થયો તેના કપાળમાં લખ્યું કે ૧૦૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005492
Book TitleVividh Vishay Vicharmala Part 06
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy