________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ मूर्खधार्मिक पाखंडी, पतितस्तेनरोगिणाम् । क्रोधनां त्यजद्रप्तानां, गुरुतल्पगवैरिणाम् ॥२॥ स्वामिवंचक लुब्धानामृषि, स्त्रीबालघातिनाम् । इच्छन्नात्महितं धीमान्, प्रातिवेश्मिकतां त्यजेत् ॥३॥
श्राद्धगुणविवरणे ભાવાર્થ : દેવમંદિરના પાસે ઘર હોય તો દુ:ખ પ્રાપ્ત થાય અને ચૌટામાં ઘરહોય તો હાનિ થાય ધૂર્ત અને મંત્રીના ઘર પાસે અભ્યાસ કરાવવાથી પુત્રને ધનનો ક્ષય થાય છે. ૧ મૂર્ખ, અધર્મી, પાખંડી, ભ્રષ્ટ,ચોર, રોગી, ક્રોધી, અંત્યજ, મદોન્મત્ત ગુરૂશય્યા પ્રત્યે ગમન કરનારે વૈરી. ૨ સ્વામિને છેતરનાર લુબ્ધ ઋષીસ્ત્રી બાલકનો ઘાતી આ ઉપરોક્તનો પાડોશ પોતાનું હિત ઇચ્છનાર બુદ્ધિમાન પુરૂષે ત્યાગ કરવો. ૩
( ગૃહ-વ્યવસ્થા) पूर्वस्यां श्रीगृहं कार्य, माग्यनेय्यां च महानसम् । शयनं दक्षिणस्यां तु, नैऋत्यामायुधादिकम् ॥१॥ भुजिक्रियापश्चिमायां, वायव्यां धान्यसंग्रहः । उत्तरस्यां जलस्थान, मीशान्यां देवता गृहम् ॥२॥ विवेकविलासे
ભાવાર્થ : પૂર્વદિશાને વિષે લક્ષ્મીગૃહ કરવું, અગ્નિ ખૂણાને વિષે રસોડુ કરવું, દક્ષિણ દિશાને વિષે શયન કરવાનું રાખવું. ૧ . પશ્ચિમ દિશાને વિષે ભોજન ક્રિયા રાખવી, વાયવ્ય ખુણાને વિષે ધાન્યનો સંગ્રહ રાખવો, ઉત્તર દિશાને વિષે પાણીનું સ્થાન રાખવું, અને ઇશાન ખૂણાને વિષે દેવતાનું ગૃહ (દેરાસર) રાખવું ?
( સંધ્યાકાળે ત્યાગ. ) चत्वारि खलु कर्माणि, संध्याकाले विवर्जयेत् ।
(૧૫૯)
૧૫૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org