________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ તે પોલી માં સમાઈ શકતી નથી, અને ઉંટ તે લોભ તે લોભના વ્યાપારમાં દ્રષ્ટિ પાપ ઉપર જાય છે. ડોકરિ દૂઝી – ભેંસ વસૂકિ, ચોર કોટવાળને બાંધિ મુકે, એ હરિયાલી જે નર જાણે, મુખે કવિ દેપાલ વખાણે, ૬
અર્થ: ડોકરી કહેતા ચિંતા તે દૂજે છે, અને ભેંસ વસુકિં કહેતાવ્યાધિરૂપી ભેંસ કહેતા કાયા જે તે સુકાઈ જાય છે, અને ચોર કહેતા મન તે મન પાપે કરીને ચોર થયેલ છે, તેને કોટવાલ કહેતા શરીર કહેવાય છે, તે ચોર કોટવાલને મનરૂપી ચોરે બાંધી લીધેલ છે. એવી રીતે એ ઉપરોક્ત હરીયાલીના અર્થને જે ચતુર પંડિત પુરૂષ જાણે છે, તેને દેપાલ નામના કવિ જે તે વખાણે છે.
ઈતિ હરીયાલી સંપૂર્ણ.
( હિત શિક્ષા )
ન્યાય માર્ગને વિષે સદા તત્પર રહેવું. ઉત્તમ પાત્રને વિષે સદા દાન આપવું. કોઈ પણ કાર્ય ઉતાવળથી કરવું નહિ. પોતાના નિયમ થકી કદાપિકાળે ચલાયમાન થવું નહિ. અંગીકાર કરેલ વ્રતોને છોડવા નહિ. ઈહલોક પરલોક વિરૂદ્ધ કર્તવ્યોનેકરવા નહિ. દુષ્ટ તેમજ દુર્જનોનો સંગ પ્રાણાતે પણ કરવો નહિ. દુર્વ્યસનોને નિરંતર છોડવાનો પ્રયત્ન કરવો. ગુણીજનોના ગુણગ્રામ કરી તેનો પક્ષ કરવો. ગુણો ઉપાર્જન કરવા સદા ઉજમાળ રહેવું. પરોપકાર કરવાની નિરંતર ટેવ પાડવી.
M 90
-
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org