SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ ૧૯ સ્નિગ્ધ મધુરબોલે, ૨૦ ૫૨ મર્મ ન જણાય તેની ચતુરાઇથી બોલે, ૨૧ ધર્મ અર્થ પ્રતિબદ્ધ બોલે, ૨૨ ઉદારપણે દીપક જેવો પ્રકાશ કરી અર્થ બોલે, ૨૩ જે માંહે પરની નિંદા અને પોતાની શ્લાઘા ન દેખાય તેમ બોલે, ૨૪ જે બોલવાથી લોકોને એમ ભાસ થાયકે એ સર્વજ્ઞ છે એમ બોલે, ૨૫ વ્યાકરણ સહિત બોલે, ૨૬ આશ્ચર્યકારી બોલે, ૨૭ સ્વસ્થ ચિત્તે થિરતા સહિત બોલે, ૨૮ વિલંબ રહિત બોલે, ૨૯ મનની ભ્રાંતિ રહિત બોલે, ૩૦ દેવ મનુષ્ય તિર્યંચ પોત પોતાની ભાષામાં સમજે તેમ બોલે, ૩૧ જેમ શિષ્યો ને વિશેષ બુદ્ધિ ઉપજાપણું થાય તેમ બોલે, ૩૨ પદના અર્થને અનેકપણે વિશેષ આરોપણ કરી બોલે, ૩૩ સત્વ પ્રધાન એટલે સાહિસકપણે બોલે, ૩૪ પુનરૂક્તિ દોષ રહિત બોલે, ૩૫ સાંભળનારને ખેદ ન ઉપજે તેમ બોલે. છત્રીશ પ્રકાર આચાર્યના ૩૬ ગુણો : ૫ ઇંદ્રિયોના ૨૩ વિષયોમાંથી પોતાને અનુકૂળ હોય તેના ઉપર રાગ ન ધરે ને પ્રતિકુળ હોય તેા ઉપર દ્વેષ ધારણ ન કરે, ૯ નવ વિધ બ્રહ્મચર્યની ગુપ્તિને ધારણ કરના૨, ૧ પશુ નપુંસક સ્ત્રી રહિત સ્થાનકે રહે ૨ સ્ત્રીની કથા વાર્તા સરાગે એટલે પ્રીતિ યુક્ત કરે નહિ, ૩ જે આસને સ્ત્રી બેઠી હોય તે આસને બેઘડી પર્યંત બ્રહ્મચારિ પુરૂષ ન બેસે અને ત્રણ પોહોર સુધી બ્રહ્મચારી પણ ન બેસે, ૪ સ્ત્રીના અંગોપાંગ સરાગે નીરખે નહિ, ૫ ભીંત પ્રમુખને આંતરે સ્ત્રી પુરૂષ બન્ને સુતાહોય અથવા કામ વિષે વાતો કરતાહોય ત્યાં બેસી ન રહે, ૬ પૂર્વ અવસ્થામાં સ્ત્રીના સાથે કરેલ કામક્રીડાનું સ્મરણ ન કરે, ૭ સરસ સ્નિગ્ધ આહાર ન લે, ૮ નિરસ આહાર પણ અતિમાત્રાયે વજન ઉ૫૨ ન લે, ૯ શરીરની શોભા Jain Education International ૧૬૮ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005489
Book TitleVividh Vishay Vicharmala Part 03
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy