SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ સુધીનો લીધો કે તત્કાલ કોશાધ્યક્ષ ભંડારિએ આવીને કહ્યું કે – સ્વામિન્ ! ભંડાર ભરાઈ ગયો છે. રાજાને અત્યંત આશ્ચર્ય થયું, એટલામાં તો દશે દિશાને ઉજ્જવળ કરતા દેવે આવીને કહ્યું કે મને ઓળખે છે ? હું પૂર્વભવનો તારો મિત્ર પૂર્વે પ્રતિજ્ઞાથી બંધાયેલા હોવાથી શ્રેષ્ઠી સુરપૂતને બોધ કરવાને માટે આવેલ છું, માટે ધર્મમાં પ્રમાદ ન કર. હવે હું કાલિક તથા તેલિકના જીવોને બોધ કરવા જાઉં છું. એમકહી દેવ ગયો, અને બન્નેને સાથે જ સ્વપ્નમાં પૂર્વભવો દેખાડયા, બન્નેને જાતિ સ્મરણ જ્ઞાન થવાથી બન્ને જણા પૂર્વની પેઠે સમ્યફ પ્રકારે પર્વી પૌષધ કરવા લાગ્યા. આવી રીતે ત્રણે રાજાઓએ શ્રેષ્ઠી સુરના વચનથી ઠેકાણેઠેકાણે અમારિનું પ્રવર્તન કરાવ્યું નવીન જૈન મંદિરો બંધાવ્યા સાધર્મિક વાત્સલ્યો કરવા માંડ્યાં. અને પર્વ દિવસના આગલા દિવસે પડહ વગડાવવા માંડ્યો, અને સર્વ પર્વને વિષે વિશિષ્ટ ધર્મ માર્ગને વિષે શ્રેષ્ઠસૂરે કરેલી સાનિધ્યતાથી તેના દેશને વિષે ઇતિ, અનીતિ, દુર્ભિક્ષ, ડમર, સ્વચક્ર પરચક્રાદિક દુષ્ટ ભયો અને વ્યાધિયો સ્વપ્ન વિષે પણ રહ્યા નહિ. અને શ્રેષ્ઠસૂરે મહિમા વધારવાથી ત્રણે રાજાઓ રાજ્યલક્ષ્મી ભોગવી દીક્ષા લઈ, કેવળજ્ઞાન પામી મોક્ષે ગયા. શ્રેષ્ઠસૂર પણ બારમા દેવલોકથી ચ્યવી, પ્રૌઢરાજા થઈ દીક્ષા લઇ કેવળી થઈ સિદ્ધ થયો. 1 પૌષધના અઢાર દોષO (૧) પૌષધમાં વ્રત વિનાના બીજા શ્રાવકનું પાણી પીવું નહિ. (૨) પૌષધ નિમિત્તે સરસ આહાર લેવો નહિ. (૩) અત્તરવારણાને દિવસે વિવિધ પ્રકારની સામગ્રી મેળવવી નહિ. ૫૩. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005488
Book TitleVividh Vishay Vicharmala Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy