SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ દેષ્ટાંત ચોથું ફીરોજશાહે મહણસિંહ શ્રાવકની પ્રતિક્રમણની વાત જાણીકાંઈક ગુન્હો તેના ઉપર લાવી એકદમ કેદમાં નાખ્યો અને એક માસ સુધી રાખ્યો. પછી બાહર કાઢી પહેરામણી કરીને કહ્યું કે તારું પડિક્કમણું કયાં ગયું? કારણ કે કેદમાં પડેલો એવા તને હાથ પગમાં બેડયો હતી ને તે કેવી રીતે પડિકમણું કર્યું ? મહણસિંહે કહ્યું કે અભયદાન આપ તો કહું. રાજાએ અભયદાન આપવાથી કહ્યું કે સાંજે સવાર બે વખત કેદના રક્ષણ કરનારાને બળે સોનામહોરો આપવાથી તેણે બેડીયો કાઢવાથી સુખેથી પ્રતિક્રમણ કરી મેં મારો નિયમ સાચવ્યો છે. તેથી પિરોજશાહે આશ્ચર્ય ચક્તિ થઇ શેઠની ધર્મદ્રઢતા વખાણી વિશેષ દાન માન આપ્યું. શેઠ ગયા પછી કેદખાનાના ઉપરીને ખબર પડવાથી કેદનો રક્ષણ કરનારો ભયપામી સાઠ સોના મહોરો પાછી આપવા આવ્યા સેઠે કહ્યું કે તારી કૃપાથી મારો નિયમ સચવાણો છે માટે ભય ન રાખ. એમ કહી બીજી લક્ષ્મી આપી. તેને વિદાય કર્યો. હાલના લોકોને વિના સોનામહોરો આયે પ્રતિક્રમણ કરવાનું છે છતાં નથી કરતા. તે તેઓને ઓછું લજ્જાસ્પદ નથી. C અજ્ઞાન ક્રિયા વિષે વણિક્ત દષ્ટાંત TO મધ્યમપુરે ખીમસી તથા દેવસી નામના બે શ્રાવક મિત્રો વસતા હતા. દેવસી સાધુ શ્રાવકના સમાગમ વિના ક્રિયા કુશળ નહિ હોવાથી કોઈ દિવસ પ્રતિક્રમણ કરતો નથી. એકદા પ્રતિક્રમણ કરવા જનારાએ હઠથી દેવસીને બોલાવ્યો તે બોલ્યો કે મને કાંઈ પણ આવડતું નથી. ખીમસીએ કહ્યું કે હું કરુ તેમ તું કરજે. હું જેમ બોલું ઉઠું બેસું તેમ તારે કરવું તેથી તેની સાથે ઉપાશ્રયે આવી તેના કહ્યા પ્રમાણે કરવા ૪૭ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005488
Book TitleVividh Vishay Vicharmala Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy