SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ કેમ જાય ? માટે હું જઇશ. એટલે રાજાએ તેને આજ્ઞા કરવાથી ચાર પ્રકારનું સૈન્ય લઇ સહસ્ત્રકલા રાણીએ નગર બહાર જઇ પડાવ નાખી, રાત્રિ નિર્ગમન કરી. પ્રાતઃકાલે લશ્કરને લઇને ચાલી સજ્જન મંત્રીને સૈન્યનો નાયક કર્યો પછી શત્રુના સ્થાને ગયા. બંનેપક્ષોએ સામસામા પડાવ નાખી લડવાની ભૂમિ શુદ્ધ કરી પ્રાતઃકાળે રણ સંગ્રામની શરૂઆત કરી ત્યારે સજ્જન મંત્રી હાથી ઉપર બેઠો બેઠો જ પ્રતિક્રમણ કરવા માંડયો. તેથી સૈન્યના માણસો હાંસી કરવા લાગ્યા કે આ વાણિયો ‘અગિદિયા બેઇંદિયા' કરે છે, જીવદયા પાળે છે તે શું લીલું કરવાનો હતો ? દુશ્મનોને કેવીરીતે મારનારો હતો. ૧ આવી રીતે બોલીને રાણીને કહ્યું.ત્યારબાદ સજ્જને એવું પરાક્રમ બતાવ્યું કે રાજા મરાણો અને તેનું સૈન્ય નાઠું પરંતુ રણસંગ્રામ કરતાં પોતાને પણ ઘણા ઘા પડવાથી મૂર્છા આવી, તેથી રાણીએ ઉપડાવીને તેને પોતાનાં પાસે મંગાવ્યો અને વસ્ત્રના છેડાથી પવન નાખી પાણી છાંટી સ્વસ્થ કરી સંરોહિણી ઔષધિથી સજજ કર્યો પછી રાણી બોલી કે તું એગિદિયા બેઇંદિયા' બોલી દયા કરતો હતો અને આવી રીતે દુશ્મનનો ઘાણ વાળવા નિર્દય કેમ બન્યો ? સજ્જન મંત્રીયે કહ્યું કે હે સ્વામિન્ ! દિવસે હું તમારો પગાર ખાઉં છું. તેથી તમારી નોકરી મારે બજાવવી જોઇએ. અને રાત્રિ માહરે કબજે હોવાથી માહરે માહરા આત્માનું કલ્યાણ કરવા માટે પરલોકનું પણ કામ સાધવું જોઇએ, કારણ કે હે માતાજી ! હું જૈન છું અને મને સવાર સાંજ પ્રતિક્રમણ કરવાનો નિયમ છે, તેથી અવસરે હું મારૂં કામ સાધી લઉં છું.તેસાંભળીને રાણી બહુ જ ખુશી થઇ. સારૂં ઇનામ આપ્યું બાદ સર્વે પાટણ ગયા. મંત્રી પોતાનો નિયમ પાળી સદગતિમાં ગયો. એશ આરામમાં મસ્ત થયેલ જૈનોને આ ઉપરથી બોધ લઇ નિરંતર પ્રતિક્રમણ કરવું જોઇએ. Jain Education International ૪૬ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005488
Book TitleVividh Vishay Vicharmala Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy