SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ C પ્રતિક્રમણ ઉપર દૃષ્ટાંતો O પ્રતિક્રમણ એટલે પાછું ફરવું. કોનાથી પાછું ફરવું? તે બતાવે છે. દિવસમાં કરેલાં પાપકર્મથી પાછું ફરવું તે દેવસી પ્રતિક્રમણ કહેવાય ૧, રાત્રિયે કરેલાં પાપથી પાછું હઠવું એટલે આલોચના લેવી તે રાઈ પ્રતિક્રમણ કહેવાય ૨, પંદર દિવસમાંકેરલા પાપકર્મનું પ્રાયશ્ચિત લઇ, આલોચના કરવી તે પાક્ષિક પ્રતિક્રમણ કહેવાય ૩, ચાર માસમાં લાગેલા દૂષણોને આલોવી પ્રાયશ્ચિત લેવું તે ચૌમાસી પ્રતિક્રમણ કેહાવય ૪, અને બાર માસના સંચય કરેલા પાપકર્મોથી પાછા ફરી આત્મનિંદા કરવી પ્રાયશ્ચિત લઈ આત્માની શુદ્ધિ કરવી, તે સંવત્સરી પ્રતિક્રમણ કેહવાય ૫, માટે જિનેશ્વરની આજ્ઞા છે છતાં પણ ઉપર પ્રમાણે નહિ કરનાર પરમાત્માની આજ્ઞાનો લોપ કરી, બહુલ સંસારી થાય છે. પડિક્કમણાનું નામ લેવાથી પણ મહા કલ્યાણ કરનાર થાય છે તો પછી નિરંતર પ્રતિક્રમણ કરે તેને તો કહેવું જ શું ? જુઓ : - દષ્ટાંત પહેલું એક વૃદ્ધ ડોશીને હંસ નામનો એકનો એક યુવાન છોકરો હતો. તેને સર્પ કરડવાથી મૂછ આવી ગઈ તેથી ડોશી તેનું નામ લઇને હંસ, હંસ, હંસ એ પ્રકારે વિલાપ કરવા લાગી અને એ શબ્દો વારંવાર બોલવાથી, મંત્રાક્ષર થઈ જવાથી આપોઆપ સર્પનું વિષ ઉતરી ગયું. તેવી રીતે પ્રતિક્રમણનું નામ માત્ર લેવાથી લાભ થાય છે, તો પછી સાક્ષાત્ પ્રતિક્રમણ કરી, કર્મથી મુક્ત થવાય તેમાં આશ્ચર્ય શું હતું ! અન્યદર્શનીઓમાં નારાયણનું નામ લેવાથી પણ તે પ્રસન્ન થયો છે. જુઓ : Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005488
Book TitleVividh Vishay Vicharmala Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy