SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ C આવશ્યક્તો અર્થ O समणेण सावएण य, अवस्स कायव्वं हवइ जम्मा । अंता अहो निसस्स य, तम्हा आवस्सयं नाम ॥१॥ ભાવાર્થ : સાધુને તથા શ્રાવકને જે કારણ માટે પ્રતિદિન પ્રાતઃકાલે તથા સાયંકાલે અવશ્ય કરવાનું હોય છે તે કારણ માટે પ્રતિક્રમણનું નામ આવશ્યક કહેલ છે. C પ્રતિક્રમણ ક્રવાનો ટાઈમ) अद्धनिबुड्डे सूरे, सुत्तं कढुति गीयत्था । इहवयणपमाणेणं, देवसिआवस्सए कालो ॥१॥ ભાવાર્થ : અર્ધ સૂર્ય અસ્ત થાય અને અર્ધ બહાર દેખાય તે વખતેગીતાર્થ મહારાજાઓ સૂત્રને બોલે છે. એટલે તે વખતે સાધુઓને પગમ સજઝાય અને શ્રાવકોને વંદિતુ સૂત્ર બોલવું જોઈએ. આ વચન પ્રમાણે દેવસિ પ્રતિકમણનો કાળ કહેલ છે. આ ઉપરોક્ત ગાથાથી સિદ્ધ થાય છે કે સાધુ અને શ્રાવક વર્ગ તમામ અર્ધ સૂર્ય બૂડે (અસ્ત થાય) ત્યારે વંદિતુ સૂત્ર બોલે હાલમાં મોડી રાત્રીએ પ્રતિક્રમણ કરવાની જે પ્રથા સાધુઓએ અને શ્રાવકોએ પાડી છે તે યોગ્ય નથી.તેમાં પણ કેટલાક તો જાણી બુઝીને જ કાળક્ષેપ કરી પ્રતિક્રમણના ટાઇમને અતિક્રમણ કરીને જ પ્રતિક્રમણ કરે છે તે ઠીક નથી. માટે આ બાબત તમામને સુધારો કરવાની ખાસ આવશ્યકતા છે. તે સુધારો કરવો જ જોઇએ, તો જ પરમાત્માની આજ્ઞાનું પ્રતિપાલન કર્યું કહેવાય. ૪૩ ૪૩. ~ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005488
Book TitleVividh Vishay Vicharmala Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy