SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ સમ્યગવાદને વિષે (૩) કાલકાચાર્ય પૃચ્છા દૃષ્ટાન્ત, સમાસને વિષે (૪) ચિલાતિ પુત્રનું દૃષ્ટાન્ત, સંક્ષેપને વિષે (૫) આત્રેય દૃષ્ટાન્ત, અનવદ્યને વિષે (૬) ધર્મ રૂચિનું દૃષ્ટાન્ત, પરિજ્ઞાનને વિષે (૭) ઇલાપુત્રનું દૃષ્ટાન્ત, પ્રત્યાખ્યાનને વિષે (૮) તેતલી પુત્રનું દૃષ્ટાન્ત એમ સામાયિકને વિષે એ આઠ ઉદાહરણો કહેલાં છે. આવશ્યક સામાયિકના પેઠે આવશ્યક (પ્રતિક્રમણ) પણ બે વખત ભવ્ય જીવોને કરવાનું શાસ્ત્રકાર મહારાજ ફરમાન કરે છે.કહ્યું છે કે : कम्माणं मुसुमूरणं, तवसिरीभंडारसंपूरणं तं धन्ना । भवनासणं अणुदिणंसेवंति आवस्सयं 118 11 ભાવાર્થ : અષ્ટ પ્રકારના કર્મોને પૂર્ણ કરનાર તપરૂપી લક્ષ્મીના સંપૂર્ણ ભંડાર સમાન તથા ભવને નાશ કરનાર એવા આવશ્યક (પ્રતિક્રમણ)ને ધન્ય પ્રાણીયો નિરંતર કરે છે. વિવેચન : પ્રતિક્રમણ એટલે પાછા ફરવુ, કોનાથી ? તો કરેલા કર્મોથી, ક્યારે કરેલા કર્મોથી ? તો દિવસના કરેલા કર્મો દિવસને અંતે પ્રતિક્રમણ કરવાથી નાશથાયછે. તથા રાત્રિના કરેલા કર્મો રાત્રિને અંતે પ્રતિક્રમણ કરવાથી નાશ થાય છે. તેજ કારણ માટે ઉત્તમ જીવોને સદાને માટે ઉભય ટંક પ્રતિક્રમણ કરવાનુ શાસ્ત્રકાર મહારાજે ફરમાન કરેલ છે. પ્રતિક્રમણ કરવાથી વિના પૈસા વિના તપસ્યા અને વિના મહેનતે ઘણા કર્મો વિનાશ થાય છે. આવો મહા લાભ જાણી પ્રતિક્રમણ કરવા ભવભીરૂ જીવોએ ચુકવુ નહિ. અવશ્ય કરવા લાયક હોવાથી પ્રતિક્રમણનું નામ આવશ્યક પડેલું છે. Jain Education International ૪૨ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005488
Book TitleVividh Vishay Vicharmala Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy