SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ સુલભતા થાય તેથી ઉંચે સ્વરે નમસ્કાર મંત્રનું સ્મરણ કરવા લાગ્યો તેચારોયે સાંભળવાથી ઉહાપોહ કરવાથી જાતિસ્મરણ જ્ઞાન પામ્યાઅને પૂર્વભવથીઅસંખ્યાત ભવોમાં કરેલુ સામાયિક તેઓને યાદ આવ્યું તેથી વિચાર કરે છે કે પરદ્રવ્યના અભિલાષી એવા અમોને ધિક્કાર થાઓ ! ચોરી કરવાથી બાહ્ય ધન પ્રાપ્ત થાય છે પરંતુ ભાવથી જ્ઞાનાદિક આત્મધન નષ્ટ થાય છે. તેને આ આત્મા દેખતો નથી અહો ? આ શ્રાવકને ધન્ય છે કે અમોનેદેખે છે છતાં પણ પોતાના ધ્યાનથી ચૂકતો નથી. એવીરીતે તેની પ્રશંસાથી તે ચારે સમ્યગ્ દર્શન પામ્યા ચોરીના પચ્ચખાણ કર્યા. તેથી દેશવિરતિ થયા. વૈરાગ્ય પૂર્ણ ભાવથી તરવાદિકને મૂકીને લોચ કરવાના પરિણામ થયા. તેથી સર્વવિરત સામાયિકપ્રાપ્ત કરી અનુક્રમે શુકલ ધ્યાનથી ક્ષપક શ્રેણી પામીને કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. સૂર્યોદયે પંચમુષ્ટિ લોચ કર્યો નજીકના દેવોએ સાધુ વેષ આપ્યો. શ્રાવકે તેને દેખીને વારંવાર નમસ્કાર કર્યા અને સ્તુતિ કરી.પછી ચારે મહાત્મા અન્ય જગ્યાએ વિચરી મુક્તિ સુખ પામ્યા. તે માટેકહ્યું છે કે : વહુસો સામાä હ્રષ્ના વારંવાર સામાયિક કરવું,કારણ કે સામાયિક કરનાર સામાયિક લીધા પછી સાધુના જેવો થાય છે, ગણાય છે. સામાયિક ઉપર દૃષ્ટાંત ક્યા આવે ? दमदंते मेयज्जेकालगपुच्छा चिलाय अत्तेय, धम्मरुइ इला तेयल, समाइए अट्ठ उदाहरणा ॥२७९०॥ ભાવાર્થ : સામાયિકના અર્થ અનુષ્ઠાનને વિષે (૧) દમદંતરાજર્ષિનું દૃષ્ટાંત : તથા (૨) મેતાર્ય મુનિનું દૃષ્ટાંત, Jain Education International ૪૧ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005488
Book TitleVividh Vishay Vicharmala Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy