SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ પુછવાથી પોતાના પૂર્વભવનું તમામ વૃત્તાંત કહ્યું, તેથી તમામ લોકો સામાયિક કરવા લાગ્યા હસ્તિ પણ તેના વચનથી બધું પાણી બંને કાળ ભૂમિ પ્રમાજી, ચક્ષુથી જોઈ ને તે રાજકુમારી પાસે નિરંતર ભાવ સામાયિકપણાથી રહેવા લાગ્યો. અને પૂર્ણ થાય ત્યારે પોતાની ગુરૂ રાજકુમારીને નમસ્કાર કરીને ઉઠવા લાગ્યો. ત્યારબાદ ભક્ષ્યાભઢ્ય, પૈયાપેયનો વિચાર કરી, નિર્દોષ આહારને ગ્રહણ કરી છેવટે સમાધિ મરણ પૂર્વક મરી આઠમા સહસ્ત્રાર દેવલોકને વિષેદેવપણે ઉત્પન્ન થયો.માટે જ સામાયિકને તોલે ગમે તેટલું સુવર્ણ દાન આપે તો પણ આવે નહિ. CT સામાયિક ફળ ઉપર દૃષ્ટાંત બીજું ) ક્ષિતિપ્રતિષ્ઠિત નગરનો વસનાર કોઈ શ્રાવક લાભને માટે ભિલ્લની પલ્લીને વિષે જઇ દુકાન કરી વ્યાપાર કરવા માંડયો. અને પુન્યોદયથી કોટયાધિપતિ થયો. ત્યાં વસનારા ચાર ભિલ્લો આની સમૃદ્ધિ દેખી એકદા વિચાર કરવા લાગ્યા કે અહો ! આ વાણિયાએ આપણને છેતરીને આપણું ઘણુ દ્રવ્ય હરણ કર્યું માટે રાત્રિએ ખાતરી પાડી આજે આપણે તે તમામ ધનલઇએ નહિ તો આ કપટિ છે તેથી પોતાને નગરે લઇ જશે એવી વિચારણા કરી. - હવે શેઠ નિરંતર સ્ત્રીની સાથે સાત આઠ સામાયિકને કરે છે. મધ્યરાત્રિ પછી તેણે પોતાની સ્ત્રી સહિત સામાયિક લીધું. ચારે ચોરો ખાતર પાડવા આવ્યા.તેને જાગતો દેખી વિચારે છે કે ધન કેવી રીતે લેવું ? તેને આવેલોદેખી શેઠ પણ વિચાર કરે છે કે ધન તો બહુ ભવને વિષે મળશે. આ ભવને વિષે પણ આવેલુ ધન ગયું છે પરંતુ જ્ઞાનાદિ ભાવ ધન ક્રોધ અને ચિંતાદિ તસ્કરો હરણ કરશે તો મારે શું કરવું ? કારણ કે જ્ઞાનરૂપી ધનનું રક્ષણ કરવાથી સર્વ બાબતની ન ૪૦ ) ૪૦. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005488
Book TitleVividh Vishay Vicharmala Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy