SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ કરવાને માટે જેમનો કુટુંબ વર્ગ સાનુકૂલ રીતે મદદગાર હોય છે. એટલે અનુકૂલ કુટુંબાદિ યુક્ત (૧) તથા ધનવાન એટલે સન્માર્ગને વિષે પ્રવર્તમાન થઈ સવ્યાપાર વડે કરી, ઉપાર્જન કરેલ ન્યાય દ્રવ્યવાળો (૨) રાજાને પણ સત્કાર કરવા યોગ્ય એટલે જેમના ઉત્તમમાં ઉત્તમ સદ્ધર્તનના આચરણ થકી રાજા પણ રંજીત થઈ અત્યંત સત્કાર-સન્માન કરે છે. તેથી શત્રુઓ થકી પણ પરાબળ નહિ પામનાર (૩) ઉત્તમ કુલને વિષે ઉત્પન્ન થયેલો અર્થાત્ ઉત્તમ કુલને વિષે ઉત્પન્ન થવાથી કુલની પણાની વિશેષે કરી વૃદ્ધિ કરી પોતાની કરેલી પ્રતિજ્ઞાનો નિર્વાહ કરનાર એવો (૪) અક્ષુદ્ર એટલે શુદ્રતા રહિત તેમજ દાન દેવાને વિષે તત્પર એવો (૫) વૈર્યબલયુક્ત એટલે ધીરવીરપણાને ધારણ કરી પોતાના ચિત્તનું સમાધાન કરવાને સમર્થ (૬) પ્રશસ્ત બુદ્ધિવાળો (૭) વીતરાગ મહારાજની આજ્ઞાનું પ્રતિપાલન કરવામાં પ્રધાનપદ અંગીકાર કરનાર એવો (૮) ધર્મને વિષે એકાંત આસકત એવો (૯) ગુરૂ ભક્તિ કરવામાં રુચિવાળો એટલે પૂજનીય જનસમુદાયની સેવા કરવામાં તત્પર એવો (૧૦) શુશ્રષાદિ બુદ્ધિના અષ્ટ ગુણસંપન્ન તેમજ વિવેક સંયુક્ત એવો (૧૧) ઉત્તમ બુદ્ધિવાળો એવો (૧૨) અર્થાત્ ઉપરોક્ત ગુણોએ કરી સંયુક્ત સુશોભિત એવો જે ગૃહસ્થ હોય તેજ ગૃહસ્થને શાસ્ત્રકાર મહારાજાએ દેવદ્રવ્ય સાચવવાનો રક્ષણ કરવાનો અધિકારી રહેલો છે, કારણ કે ઉપરોક્ત ગુણ સંયુક્ત શ્રદ્ધાળુ ગુહસ્થથી જ દેવદ્રવ્યની વૃદ્ધિ સંબંધીનો વ્યવહાર પુણ્યાનુબંધિ મહાન શુભ ફલને આપનારો થઈ શકે છે. यदुक्तं सिद्धांते जिणपव्वयणवुढिकरं, पभावगं नाणदंसणगुणाणं । वढ्तो जिणदव्वं, तित्थयरत्तं लहइ जीवो ॥१॥ ૧૯) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005488
Book TitleVividh Vishay Vicharmala Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy