SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ થયો. તે આટલા દિવસ દુઃખ વેઠયું, તે દુ:ખ તારૂં અને મારૂં પણ આજથી ગયું, માટે હે નાથ ! તું જૈન મંદિરે જા, અને વર આપનાર દેવને કહે કે હે દેવ સર્વ ! મારા પાપ રૂપી મહે૨ગીરોને તું સર્વથા પ્રકારે દુર કર. આવી રીતે યાચના કર. ત્યારબાદ સ્ત્રીના વચનથી તેણે જૈનમંદિરે જઇને દેવના પાસે તે જ પ્રકારે યાચના કરવાથી અધિષ્ઠાયકદેવે કહ્યુંકે તારું ઇચ્છિત કાર્ય થશે. આવી રીતે કહી દેવ અંતર્ધ્યાન થયા બાદ ઘરે આવ્યો, અને આવતાંની સાથે જ વિવેક પ્રગટ થવાથી બોલ્યો કે હે પ્રિયા ! પાણી લાવ,કારણ કે હાથ પગ ધોયા વિના ભોજન કરવું તે સારું નહિ, તુરત તેની સ્ત્રીએ પાણી આપવાથી હાથ, પગ ધોઇ તે ભોજન કરવાબેઠો. ત્યારબાદ તેની સ્ત્રીને ચિંતવના કરી કે મારા સ્વામીને આજે વિવેકનો અંકુરો ફુટવાથી હાથપગ ધોઇને ભોજન કરવા બેઠો,તેથી હવે પછી દાનાંતરાય કર્મ અને ભોગાંતરાય કર્મ શરીર થકી પાપરૂપી પહેરીગરોના નષ્ટ થવા થકી નાશથશે,હવે પછી મારો ભર્તાર ત્યાગ ભોગી થશે, આવુ ચિંતવન કરી આનંદ પામી. બીજે દિવસે સ્વયમેવ સ્નાન કરીકેસર,ચંદન, બરાસ, કસ્તુરી,અગર, પ,દીપ નૈવેદ્ય, અક્ષત, પુષ્પો લઇને ભગવાનને પૂજ્યા બાદ પવિત્ર થઇ ભોજન કર્યું. અનુક્રમે શુદ્ધ દેવગુરુ ધર્મને ઓળખી પીછાણી તેનો શુદ્ધ પ્રેમી થઇ,તેણે રત્નત્રયીને વિષે દૃઢ શ્રદ્ધાને ધારણ કરી અત્યંત હર્ષિત થઇ શાન્તિથી ઉપરોક્ત રત્નત્રયીનું આરાધન કરવા માંડયુ ત્યારબાદ પોતાના પૂર્વજોન ભૂમિને વિષે દાટેલ ત્રણ લાખ દ્રવને કાઢીને તેને પુન્યમાર્ગે ખર્ચી દઇનેતે પુન્યાત્માએ દક્ષતાથી પોતાનો પુન્ય ખજાનો પૂરણ કર્યોતેના ઘરને વિષે ઋદ્ધિ અને ધર્મને વિષે બુદ્ધિ તેની વૃદ્ધિ સ્પર્ધાથી વૃદ્ધિ પામવા માંડી, અને Jain Education International ૧૬ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005488
Book TitleVividh Vishay Vicharmala Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy