SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ સદ્દતો નથી, તેવા શ્રાવકને શાસ્ત્રકાર મહારાજે ધ્વજા સમાન કથન કરેલ છે. पडिवन्नमसग्गाहं, न मुयइ गीयत्थसमणु सिड्ढो वि । थाणु समाणो एसो अपसोसी मुणिजणे नवरं॥७॥ ભાવાર્થ : ગીતાર્થ મુનિ મહારાજાયે વારંવાર શિક્ષા આપવા છતાં પણ પોતે અંગીકાર કરેલ કદાગ્રહને નહિ ત્યાગ કરનાર શ્રાવકને શાસ્ત્રકાર મહારાજાએ સ્થાણુ-ખીલા સમાન કથન કરેલ છે. એટલું વિશેષ છે કે, મુનિ વર્ગ પ્રત્યે તે દ્વેષને ધારણ કરતો નથી. उम्मग्गदेसओ निह्नवोऽसि, मूढोऽसि मंदधम्मोऽसि । इय समं पिकयंतं, खरंटएसो खरंटसमो ॥८॥ ભાવાર્થ : તું ઉન્માર્ગનો ઉપદેશ કરે છે, તું નિન્ટવ છે, તું મંદ ધર્મને ધારણ કરનારો છે એ પ્રકારે યદ્વા તદ્ધા વચનો વડે કરી મુનિને ખરડે, વિંધી નાખે, તેવા શ્રાવકને શાસ્ત્રકાર મહારાજાએ કાંટા સમાન કથન કરેલ છે. जह सिढिलमसुइ दव्वं, छुप्पं तं पिहु नरं खरंटेइ । एवमणुसासगं पि, दूसंतो भन्नइ खरंटो ॥९॥ ભાવાર્થ : જેવી રીતે શિથિલ અશુચિ દ્રવ્યને ગુપ્ત કરનાર માણસને એ અશુચિ દ્રવ્ય ખરટે છે, તેવી રીતે ઉપદેશ કરનાર મુનિને દુર્વચનોથી ખરડી નાખનાર શ્રાવકને શાસ્ત્રકાર મહારાજાએ ખરંટ સમાન કથન કહેલ છે. निच्छ्यओ मिच्छति, खरंटतुल्लो सवत्तितुल्लोऽवि । ववहाराओ उ सडा, जयंत जिणगिहाईसु॥१०॥ ભાવાર્થ : એ ઉપરોકત કથન કરેલ આઠ પ્રકારના શ્રાવકો પૈકી ખરંટ સમાન અને શોકય સમાન શ્રાવકોને શાસ્ત્રકાર મહારાજા નિયમો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005488
Book TitleVividh Vishay Vicharmala Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy