SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-ર માનાદિકની વૃદ્ધિ કરનાર, તેમજ સદા હિતને ચિંતવનાર, અને કાર્ય પ્રસંગ પડવાથી જો સાધુ ન પૂછે, અગર સલાહ ન લે તો કોપાયમાન થનાર, તથા જે મુનિનું કાર્ય હોય તે પોતાનાં માનનાર, અને પોતાના સ્વજન વર્ગ તથા પોતાના આત્મા કરતાં પણ મુનિને વિશેષ માનનાર આવા શ્રાવકને શાસ્ત્રકાર મહારાજએ મુનિના મિત્ર સમાન કહેલ છે. थद्धो छिद्दप्पेही, पमायखलियाणि निच्चमुच्चरई । सढो सवत्तिकप्पो, साहुजणं तणसमं गणइ ॥४॥ ભાવાર્થ : સ્તબ્ધ, નિરંતર છિદ્રને જોનાર, પ્રમાદ આચરણથી સ્કૂલના આવેલ હોય તેને નિરંતર બોલનાર, બકવાદ કરનાર, તથા સાધુ લોકને તૃણ સમ ગણનાર, આવા ખરાબ લક્ષણોને ધારણ કરનાર શ્રાવકને શાસ્ત્રકાર મહારાજે સાધુની શોકય સમાન કથન કરેલ છે. गुरुभणिओ सुत्तत्थो, बिंबिजइ अवितहो मणे जस्स । सो आयंस समाणो, सुसावओ वन्निओ समए ॥५॥ ભાવાર્થ : હવે બીજા ચતુષ્કને વિષે ચાર પ્રકારના શ્રાવકોનાં લક્ષણો દેખાડે છે. ગુરૂ મહારાજે જે જે પ્રકારે સૂત્ર અને અર્થનું વર્ણન કહેલ હોય, તે તે આરિસાની પેઠે જેના મનને વિષે પ્રતિબિંબિત થાય છે, અર્થાત્ ગુરૂ મહારાજે કહેલ તમામ સૂત્ર અર્થને શીઘ્રતાથી ધારણ કરી લેનાર શ્રાવકને શાસ્ત્રકાર મહારાજાએ સિદ્ધાંતની અંદર આરિતા સમાન શ્રાવક કથન કરેલ છે. पवणेण पडागा इव, भामिज्जइ जो जणेण मूढेण । अविणिच्छिय गुरुवयणो, सो होइ पडाइया तुल्लो ॥६॥ ભાવાર્થ : ગુરૂ મહારાજે ઉત્તમ પ્રકારે બોધ કર્યા છતાં પણ જેમ પવન ધ્વજાને ભમાવી નાખે છે. તેમજ મૂઢમાણસોએ ભમાવવાથી જે માણસ ભમી જાય છે અને ગુરૂ મહારાજના વચનોને નિશ્ચયતાથી ( ૭ ) ભાગ-ર ફર્મા-૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005488
Book TitleVividh Vishay Vicharmala Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy