SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ ૧૭૩. હંમેશાં પાપનો ભય રાખનાર માણસધન્યવાદને પાત્ર છે પણ પાપકર્મ કરવામાં જે માણસ પોતાનું હૃદય કઠણ કરે છે તે જરૂર આપત્તિ ભોગવે છે. ૧૭૪. સમયને ઓળખી જે માણસવ્યાપારકરે છે તે ધીમે ધીમે પૈસા પાત્ર બને છે પણ અવસર વિનાનો લોભી માણસ આખરમાં નીચે પડે છે. ૧૭૫. જીભથી જુઠું આદરમાન આપનાર કરતાં રૂબરૂમાં સત્ય ઠપકો આપનાર માણસ પાછળથી બહુ જ આદરમાન મેળવે છે. ૧૭૬. લોભીયો માણસ લોભ કરીમનથી કાયમના માટે લડાઈટંટાઉભા કરે છે ત્યારે સંતોષી માણસ સંતોષ કરી કાયમના માટે કજીયાને જલાંજલી આપે છે. અને અપાવે છે. ૧૭૭. દરિદ્રીને દાન કરનારને કોઈ દિવસ ખોટ આવતી જ નથી. - ૧૭૮. ન્યાયી માણસને હોદ્દો મળવાથી લોકો આનંદ પામે છે અને દુષ્ટ માણસને હોદો મળવાથી લોકો બહુ જ પરિતાપનાં પામે ૧૭૯. લોભી માણસ દ્રવ્યને માટે દોડે છે પણ જાણતો નથી કે અતિ લોભથી દરિદ્રપણું આવી પડસે. ૧૮૦. રાજા ન્યાયથી દેશને આબાદ બનાવે છે પરંતુ રિશ્વતખોર તેની પાયમાલી કરે છે. ૧૮૧. અજ્ઞાની મૂર્ખ માણસ પોતાનો ક્રોધ જીભથી બોલી બતાવે છે અને ઉત્તમ માણસતુરત તેને શમાવી દે છે, જ્ઞાની અજ્ઞાનીમાં એટલો તફાવત છે. ૧૮૨. સ્વતંત્રપણાની છૂટ આપેલાં બાળક બાલિકાસ્વછંદી બને તો માતા પિતાને કલંકિત કરે છે. ૧૧૭ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005488
Book TitleVividh Vishay Vicharmala Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy