SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ ૧૬૩. અતિ દુર વસનારા ભાઈ કરતાં પણ નજીક વસનારો પાડોશી પણ અતિ ઉત્તમ છે કારણ કે વારંવાર યોગ્ય રીતે જલ્દીથી મદદગાર બને છે. ૧૬૪. જેમ લોઢું લઢીને ઉત્તેજિત કરે છે તેમ માણસ પોતાની સત્યતાથી પોતાના મિત્રોના મુખને ઉજ્જવલ કરે છે. ૧૬૫. સાચા દિલથી પોતાના સ્વામીની નોકરી કરનાર સાચો બદલો મેળવી શકે છે. ૧૬ ૬. જેવી રીતે પાણીમાં માણસનું પ્રતિબિંબ પડે છે તેવી જ રીતે સામા માણસના હદયગત વિચારો સામાના દિલમાં પ્રતિબિંબિત થાય છે. ૧૬૭. કોઈ માણસ મુર્મની મુર્ખતાદુર કરવા માટે ગમે તેવા વિષમ સંકટમાં નાખે તો પણ તેની મુર્ખતા દુર થવાની નથી. ૧૬૮. જે માણસ નિધન છતાં દરિદ્રીયોના ઉપર જુલમ કરે છે તે હોંશે કરી પોતાના ઘરમાં અગ્નિ પ્રદિપ્ત કરનારાના જેવો ગણાય ૧૬૯. નિયમ લઈ ત્યાગ કરનારાના વખાણ પાપી માણસો કરે છે પણ નિયમમાં પ્રતિપાલન કરનારા તેને ધિક્કારે છે. ૧૭૦. જે માણસ અન્યાયથી વ્યાપારમાં ઘણો નફો લઈ અન્યાયથી ઘણું વ્યાજ લઈ ઘણી લક્ષ્મી વધારે છે તે માણસદરિદ્ર ઉપરદયારાખનાર માટે જ સંગ્રહ કરે છે તેમ ચોક્કસ જાણવું. ૧૭૧. જે માણસ બીજાને પ્રમાણિત હોવા છતા ઉતારી પાડવાની શિક્ષા આપવા ખાડો ખોદે છે, તે ખાડામાં તે માણસ પોતે જ પડે છે અને સદાચારીને તો છેવટે લાભ થાય છે. ૧૭૨. પૈસાવાળો માણસ પોતાને ડાહ્યો સમજે છે પણ દરિદ્ર તેની પરીક્ષા કરે છે. ૧૧૬ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005488
Book TitleVividh Vishay Vicharmala Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy