SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ ૧૮૩. ચોરનો ભાગીદાર પોતાના જ આત્માનો જ વૈરી છે કારણકે સેંકડો સોગન આપ્યા છતાં પણ તે સત્ય વાત પ્રગટકરતો નથી. ૧૮૪. સદ્ગુણી સ્ત્રી પુન્યના ઢગલા સિવાય મળતી નથી કારણ કે તે સદ્ગુણી સ્ત્રી પોતાના મરતાં સુધી ખરા જીગરથી પતિનું ભલું ચાહે છે. ૧૮૫. જો તારે સંસારનો અંત કરી પરમ સુખ મેળવવાની ઇચ્છાહોયતો સત્યભાવી સત્યગુણી બની, પરમાત્માના માર્ગને આલંબન કરી જન્મ જરા મરણના બંધનથી મુક્ત થઇ મુક્તિના એકાંત સુખનો ભોકતા થા. હિતકારી સુચના ૧. મનુષ્ય જન્મ પામીઃ ઉત્તમ પ્રકારે જૈન ધર્મનું આરાધન કરવું તેના સમાન બીજું એક પણ ઉત્તમ કાર્ય નથી. ૨. મનુષ્ય જન્મ પામીઃ ઉદ્યમવંત થઇ શુદ્ધદેવ શુદ્ધ ગુરુને શુદ્ધ ધર્મનું પ્રતિપાલન કરવું તેના સમાન બીજુ એક પણ પરમ હિત નથી. ૩. મનુષ્ય જન્મ પામી : શુદ્ધ સમ્યક્ત્વને ધારણ કરવું તેના સમાન બીજો એક પણ ઉત્તમોત્તમ માર્ગ નથી. ૪. મનુષ્ય જન્મ પામી : સ્વધર્મની અંદર પૂર્ણ શ્રદ્ધા સ્થાપન કરવી તેના સમાન બીજુ એક પણ મહાન કાર્ય નથી દયા ધર્મ તેજ ધર્મ કહેવાય પાપમય નહિ. ૫. મનુષ્ય જન્મ પાપીઃ તત્વજ્ઞાનમાં ચિત્ત જોડવું તત્ત્વજ્ઞાનને અંગીકાર કરવું, તત્વજ્ઞાનની વૃદ્ધિ કરવી, તત્વજ્ઞાનમાં હોય તે પ્રમાણે વર્તવું, તેના સમાન બીજું એક પણકાર્ય નથી, જીવ અજીવાદિ વિગેરેનું તત્વજ્ઞાન સમજવું. Jain Education International ૧૧૮ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005488
Book TitleVividh Vishay Vicharmala Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy