SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ વિષવિક્રય કરનારા મનુષ્યો મરીને નરકમાં જાય છે. ૨૩૦. જે જુગાર તે સર્વ આપદાનું મૂળ છે તથા કુળનું મલીનપણુ કરનાર જુગાર છે, જે દુખ બુદ્ધિના ઘણી જુગાર રમે છે ને જુગારની પ્રશંસા પણ કરે છે તે માણસ નરાધમ કહેવાય છે. આવું નીતિનું વચન છે. ૨૩૧. જુગાર, ધાતુવાદ, વેશ્યા સાથે અનુરાગ, વિભ્રમ અને યોગીની સેવા આટલા કાર્યો માણસના ઉપર દૈવ રૂટમાન થાય છે ત્યારે કરવા માણસ તત્પર થાય છે. ૨૩૨. ન્યાય વિશારદો સર્વે કાર્યમાં સ્થિરતાને પ્રશંસાપાત્ર ગણે છે ફક્ત ધર્મ કાર્યને વિષે જ ઉતાવળ કરવાનું કહે છે. કારણ કે ધર્મના કાર્યમાં વિઘ્નો અંતરાય બહુ જ આવે છે. માટે તે ધર્મ કાર્યો તુરત કરવાં. ૨૩૩. માન અને અપમાનમાં જે માણસ હર્ષ શોક કરતો નથી તે માણસ ગંગા નદીને ઉંડો દ્રહ જેમ ક્ષોભ વિનાનો હોય છે તેમ કોઈ પણ પ્રકારે નહિ ક્ષોભ પામનારો પંડિત કહેવાય છે. ૨૩૪. પૈસો સ્ત્રી મિત્ર પૃથ્વી આ સર્વ વારંવાર મળી શકશે પરંતુ મનુષ્યોને માનવ જન્મ વારંવાર મળવો મુશ્કેલ છે માટે ધર્મને વિષે પ્રયત્ન કરવો. ૨૩૫. ક્ષત્રિયો શસ્ત્રોથી, પંડિતો શાસ્ત્રોથી, પૈસા પાત્ર પૈસાથી, પામરો હાથથી, સ્ત્રીયો ગાળોથી અને પશુઓ શિંગડાથી કલેશ કરનારા હોય છે. ર૩૬. શુળના રોગવાળો વિદલનેતથા કુષ્ટી માંસને, તાવવાલો ઘીને, અતિસાર વાળો નવા અન્નને, અને નેત્રના રોગ વાળો મૈથુનને ત્યાગ કરે જો ન કરે તો મહાન દુઃખ પામી મરે છે. ૯૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005488
Book TitleVividh Vishay Vicharmala Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy