SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ અવર્ણવાદ બોલે નહિ અને પિતાનો ગુરૂનો સ્વામીનો અને રાજાનો અવર્ણવાદ તો વિશેષકરી બોલે નહિ. ૨૨૨. મુર્મોની તથાદુરોની તથા તેના સહચારીઓની તથા મીલનોની તથા ધર્મ નિંદકોની તથા દુઃશીલોની તથા લોભીયાઓની તથા ચોરોની સંગતિ છોડી દેવી. ૨૨૩. પરોક્ષપણામાં કાર્યનો નાશ કરનાર અને પ્રત્યક્ષપણામાં પ્રિય બોલનાર આવા વિષયના ઘડા સમાન અને દુધનાં મુખ સમાન મિત્રનો ત્યાગ કરવો. ૨૨૪. જે પવિત્ર અને ડાહી હોય તેજ ભાર્યા કહેવાય તથા જે પતિવ્રતાહોય તથાજે પતિ પ્રત્યે પ્રીતિવાળી હોય તથા જે સ્ત્રી સત્યવાદી હોયતેજ સ્ત્રી કહેવાય છે અને આવી સ્ત્રી જેના ઘરમાં હોય તે માણસ પુન્યશાળી ગણાય છે. ૨૨૫. રોગી માણસની દવા કરતા પહેલાં નાડી, મૂત્ર, મળ, જીભ, શબ્દ, સ્પર્શ, સ્વરૂપ અને દ્રષ્ટિ આ આઠની તપાસ કરવી તેમ કરવાથી કેવા પ્રકારના રોગો છે. વિગેરેની માહિતી મળી જાય છે. - ૨૨૬. ધર્મને માટે લોકો કલેશ કરે છે પણ ધર્મનું લાલ નીલુ પીળું ધોળુ કેવું લક્ષણ છે તેની તપાસ કરતા નથી. - ૨૨૭. ધર્મનો આરંભ કરવામાં, ઋણને છેદાવામાં, કન્યાદાન આપવામાં, પૈસા આપવા આવે તેના પાસેથી લેવામાં, શત્રુ રોગ, અગ્નિનો નાશ કરવામાં કાળક્ષેપ કરવો કોઈ પણ પ્રકારે સારો નથી. ૨૨૮. સંસારી જીવોના દુઃખને નાશ કરવાવાળી જે ધર્મદેશના દેવામાં આવે છે તેના સમાન આ જગતમાં બીજો એકપણ ઉપકાર નથી. ૨૨૯. કન્યા વિક્રય કરનારા તથા રસવિક્રય કરનારા તથા - ૯૩) ૯૩ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005488
Book TitleVividh Vishay Vicharmala Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy