SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ કરનારા છે. ૨૧૪. ઇંગિત આકારથી, ગતિથી, ચેષ્ટાથી, મુખના વિકારથી તથા વચનથી સામા માણસનું મન પારખી શકાય છે. ૨૧૫. બાહ્ય ઇંદ્રિયોનું સ્મરણ છોડી દઈ તેને નિયમિત કરીને પણ જે પોતાના મનને ખુલ્લુ મુકી મન થકી ઇંદ્રિયોનું સ્મરણ કરે છે. તે મૂઢ આત્માનો ધણી મિથ્યાચારી કહેવાય છે. ૨૧૬. જો રાજા રક્ષણ ન કરે તો શાન્ત દાન્ત અને દયાળુ જીવો ક્ષુદ્રતાથી ભરપુર ભરેલા લોકોના સમૂહને વિષે ધર્મને કેવી રીતે કરી શકે અર્થાત્ નજ કરી શકે, માટે જ રાજાઓને તેવા ગુણી લોકોનું રક્ષણ કરવું જોઇએ.રાજાનો ધર્મ ગુણી લોકોનું રક્ષણ કરવાપણું ગણાય છે. ૨૧૭. જેના પ્રભાવથી ક્રોધ, હર્ષ, ભય, શોક, અને લોભાદિ ભાવોને વિષે આકારો જાણી શકાય નહિ તેને ગંભીર કહેવામાં આવે છે. ૨૧૮. પતિની આજ્ઞા સતી તથા પ્રભુની આજ્ઞા નોકર તથા ગુરુની આજ્ઞા શિષ્ય તથા પિતાની આજ્ઞા પુત્ર ખંડન કરે અગર તેમના આદેશમાં સંશય કરે તો સર્વેપોતાના વ્રતોને ખંડન કરે છે. ૨૧૯. વર્ષાઋતુમાં લુણ-લવણ અમૃત સમાન છે શરદ ઋતુને વિષપાણી અમૃત સમાન છે હેમંત ઋતુને વિષે ગાયોનું દૂધ અમૃત સમાન છે શિશિર ઋતુમાં આંબળાનો રસ અમૃત સમાન છે. વસંત ઋતુને વિષે ઘી અને ગ્રીષ્મ ઋતુને વિષે ગોળ અમૃત સમાન છે. ૨૨૦. જે અધમ પિતા ધનના લોભ વડે કરી પોતાની કન્યાને વેચે છે તે મહાન પાપી થઈ નરકને વિષે ગમન કરે છે. ૨૨૧. ઉત્તમ પુરૂષોને વિષે અગ્રગણ્ય મનુષ્ય કોઇના પણ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005488
Book TitleVividh Vishay Vicharmala Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy