SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ ૨૦૭. પોતે તાપને સહન કરી બીજાને છાયા આપે છે, વળી પારકાના માટે ફળે છે પણ પોતાના માટે નહિ આવા પ્રકારનાં વૃક્ષો મહા પરોપકારી કહેવાય છે. તો મનુષ્યો વિચાર કરશે કે ? ૨૦૮. ઘોડો, શાસ્ત્ર, શસ્ત્ર, વીણા, વાણી, નર,નારી આ સર્વેને જેવા પુરૂષોના સંગ થાય છે તેવા તે નીપજે છે (થાય છે.) ૨૦૯. એકને માટે જો આખા કુળનો નાશ થતો હોય તો એકનો ત્યાગ કરવો તથા કુળને માટે ગામનો નાશ થતો હોય તો કુળ ત્યાગ કરવું તથા ગામને માટે આખા દેશનો નાશ થતો હોય તો ગામનો ત્યાગ કરવો અને આત્માનો નાશ થતો હોય તોપૃથ્વીને ત્યાગ કરી આત્માનો બચાવ કરવો તેવું વચન નીતિ શાસ્ત્રકારોનું છે. ૨૧૦. સારા માર્ગનું પ્રતિપાલન કરવાથી સારા લોકો સારાપણાને પામે છે પણ જો સારા માર્ગનું ઉલ્લંઘન કરવામાં આવે તો સારા લોકો અસારપણાને પામે છે. ૨૧૧. ચોર,ચોરી કરાવનાર, ચોરની સાથે ગુપ્ત વાતકરનાર,ચોરી કરનારના ભેદને જાણનાર, ચોરની સાથે લેવડદેવડ કરનાર, ચોરીનો માલ લઈ વેચનાર, તથા ચોરને સ્થાન આપનાર આ બધા ચોરજ કહેવાય છે. ૨૧૨. જગતને કલેશ કરનાર એવા કામરૂપી મલ્લને જજીવોએ તોડી પાડે છે તેજ જીવો આ જગતમાં ધન્યવાદને પાત્ર છે તેમજ વંદન કરવા લાયક છે. ૨૧૩. આ ભવોનું એવું વિચિત્રપણું છે કે જેની અંદર રંક હોય તે રાજા થાય અને રાજા હોયતે રંક થાય બેન હોય તે સ્ત્રી થાય તથા સ્ત્રી હોય તે બેન થાય તેમજ સુખી હોય તેદુઃખી થાય અને દુઃખી હોય તે સુખી થાય આવી રીતે ભવો નિર્ગુણપણાને ધારણ લ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005488
Book TitleVividh Vishay Vicharmala Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy