SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ [વિજ્યપધસૂરિકતસ્પષ્ટાર્થ –પ્રશ્ન–છધરથને કેટલા સમુદ્દઘાત હોય અને કેવલીને કેટલા સમુદ્દઘાત હેય? - ઉત્તર–૧ વેદના સમુદ્દઘાત, ૨ કષાય સમુદ્દઘાત, ૩ મરણ સમુદુઘાત, ૪ વૈક્રિય સમુદ્રઘાત, ૫ તૈજસ સમુદ્દઘાત, ૬ આહારક સમુદ્દઘાત અને ૭ કેવલિ સમુદ્દઘાત એમ સાત સમુદ્દઘાત છે. તેમાંથી કેવલી સમુદ્દઘાત સિવાય બાકીના ૬ સમુદ્દઘાત છસ્થ જીને હોય છે. જ્યાં સુધી ઘાતી કર્મોને ક્ષય ન કર્યો હોય ત્યાં સુધી છસ્થ કહેવાય છે. તેથી મિથ્યાત્વથી માંડીને બારમા ક્ષીણ મેહ ગુણસ્થાનક સુધી વર્તનારા છઘસ્થ જાણવા. હવે સાતમી કેવલી સમુદ્રઘાત કેવલીને હેય છે. એટલે તેરમા સગી કેવલી નામના ગુણસ્થાનકમાં વર્તનારા કેવલી જાણવા. અથવા જેમણે કેવલજ્ઞાન અને કેવલદર્શન પ્રાપ્ત કર્યા છે, પરંતુ જ્યાં સુધી ચાર અઘાતી કર્મો ખપાવ્યા નથી અને યોગ રહેલા છે ત્યાં સુધી તેઓ સગી કેવલી જાણવા. આ ગુણઠાણે જે જેને આયુષ્ય કર્મ કરતાં નામકર્મ, ગોત્રકર્મ અને વેદનીય કર્મનાં દલિયાં તથા સ્થિતિ અધિક હોય છે તેવા કેવલી ભગવતે ત્રણ કર્મોની સ્થિતિને આયુકર્મની જેટલી સ્થિતિ છે, તેટલી સ્થિતિ કરવા માટે સમુદ્દઘાત કરે છે. આ કેવલી સમુદ્દઘાત આઠ સમય પ્રમાણ જાણ. બાકીની છ સમુદઘતેને કાલ અંતર્મુહૂર્ત પ્રમાણ જાણ. આ આઠ સમયના કેવલી સમુદ્દઘાતમાં પ્રથમ સમયે જીવને ઔદારિક વેગ હોય છે. તે વખતે જીવના શરીરમાંથી શરીર પ્રમાણુ લાંબે પહાળે અને ૧૪ રાજ પ્રમાણ ઉંચે આત્મ પ્રદેશને દંડ નીકળે છે. બીજે સમયે ઔદારિક મિશ્ર કાગમાં વતે છે. તે વખતે દંડમાંથી આત્મ પ્રદેશને કપટ બને છે. ત્રીજે, ચોથે અને પાંચમે સમયે જીવ કાર્પણ કાયયેગમાં વતે છે, તેમાં ત્રીજે સમયે આત્મ પ્રદેશને મંથાન બને છે. એથે સમયે આંતરા પૂરે છે તે સમયે જીવ ચૌદ રાજલેક વ્યાપી થાય છે, પાંચમે સમયે આંતરા સંહરે છે. છેકે સમયે મંથાન સંહરે છે, સાતમે સમયે કપાટ સંહરે છે અને આઠમે સમયે દંડ સંહરીને જીવ પાછો મૂળ શરીરમાં વ્યાપીને રહે છે. તેમાં છ તથા સાતમે સમયે ઔદારિક મિશ્રગ હોય છે અને આઠમે સમયે ઔદારિક યોગ હોય છે. આ કેવલિ સમુદ્દઘાતમાં આત્મપ્રદેશ જે શરીર વ્યાપી હતા, તે ચોથા સમયે ચૌદ રાજલેકમાં ફેલાય છે, તે વખતે પહોળા કરીને સૂકવેલ વસ્ત્રના દષ્ટાંતે ઘણાં દલિયાની નિર્જરા થાય છે. જેઓને વેદનીયાદિ ત્રણ કર્મોની સ્થિતિ આયુકર્મની સ્થિતિ જેટલી છે, તેઓ કેવલી સમુદ્રઘાત કરતા નથી. પરંતુ બંને પ્રકારના કેવલી ભગવંતે મેક્ષના સુખને જરૂર પામે છે. આ સમુદુઘાતની પ્રક્રિયાને આધ્યાત્મિક દષ્ટિએ વિચાર કરતાં અપૂર્વ બોધ એ મળે છે કે–પરમકૃપાળુ શ્રી સર્વજ્ઞ ભગવતે જ આવી અલોકિક સમુઘાત પ્રક્રિયા જણાવી શકે. જેમ ભીંના વઅને પહોળું કરીને સૂકવીએ, તે થોડા ટાઈમે તદન સૂકાઈ જાય, વળી દેરડીના ગુંછળાને છૂટું કરીને બાળીએ, તે જલદી બળી જાય. આ બંને તેને અનુસારે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005486
Book TitleDeshna Chintamani Part 06
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy