SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ પY ( શ્રીવિજયપતિયેગને રૂંધવાની ક્રિયા તેરમાં ગુણસ્થાનકના અંત ભાગમાં શરૂ થાય છે અને જ્યારે વેગ પુરેપુરા રોકાય છે ત્યારે અહીં આત્મા અયોગી બને છે. માટે આ ગુણસ્થાનકનું નામ અગી કેવલી છે. આ ગુણસ્થાનકને કાલ પાંચ હસ્વાક્ષર ઉચ્ચાર પ્રમાણુ અંતમુહૂર્ત ને છે. આ ગુણસ્થાનકમાં વર્તતે જીવ નામ, ગોત્ર, વેદનીય અને આયુષ્ય એ નામના ચાર અઘાતી કર્મને ક્ષય કરે છે અને જ્યારે તે કર્મોને સંપૂર્ણ ક્ષય થાય છે ત્યારે આત્મા સંપૂર્ણ કર્મ રહિત બને છે અને તે જ સમયે તે શરીરને ત્યાગ કરીને એક જ સમયમાં મોક્ષસ્થાનમાં પહોંચી જાય છે અને ત્યાં શાશ્વત સુખને અનુભવ કરત સદા કાળ રહે છે. તે જીવ ફરીથી આ સંસારમાં આવતા નથી. (૩૨) ૮૩) જ દેવ ગતિમાં આહારની ઈચ્છા કયારે થાય અને દેવે ક આહાર કરે તે જણાવે છે – સાગરોપમ એક આયુ જેમનું તે દેવને, ઇચ્છા થતી આહારની ઈગ સહસ વરિસે તેમને; એમ તેત્રીસ સાગરે પણ સહસ તેત્રીસ માનીએ, મનોભક્ષી દેવ સર્વે ખાય ના નરની પરે. ८४ પબ્દાર્થ –પ્રશ્ન–દેવ આહાર કરે કે નહિ અને કેવી રીતે તથા કયારે આહાર કરે ? ઉત્તર–જે દેવેનું આયુષ્ય જેટલા સાગરોપમનું હોય તેટલા હજાર વર્ષે તે દેવોને આહારની ઈચ્છા થાય છે. એટલે જે દેવેનું એક સાગરોપમનું આયુષ્ય હોય છે તે દેવેને એક હજાર વર્ષે આહારની ઈચ્છા થાય છે. અને જેમનું બે સાગરોપમનું આયુષ્ય હેય છે તેમને બે હજાર વર્ષે આહારની ઈચ્છા થાય છે. એ કમથી જેમનું તેત્રીસ સાગરોપમનું આયુષ્ય હોય છે તેઓને તેત્રીસ હજાર વર્ષે આહારની ઈચ્છા થાય છે. તેને વિષે આહારની અપેક્ષાએ આ ઉત્કૃષ્ટ પ્રમાણ જાણવું. આ દેવેને આપણી પેઠે કવલાહાર હિતે નથી. પરંતુ આ સર્વે દે મનેભક્ષી કહેલા છે, એટલે તેઓને જ્યારે આહારની ઈચ્છા થાય ત્યારે આહારના પુદ્ગલે તેઓને શુભ રૂપે પરિણામ પામે છે અને તેથી દે તૃપ્તિને પામે છે. (૩૩) ૮૪ દેવેને વિષે એક શ્વાસોશ્વાસ લેવાને સમય જણાવે છે – સહસ વર્ષ સ્થાન જોડી પક્ષ શ્વાસોચ્છવાસની, ગ્રહણવિધિ અવધારવી સર્વાર્થસિદ્ધ સુરાદિની; આયુષ્ય સાગરના પ્રમાણે પક્ષસંખ્યા ધારવી, તેત્રીસની સવાર્થસિદ્ધ કમિક સંખ્યા માનવી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005486
Book TitleDeshna Chintamani Part 06
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy