SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ દેશના ચિંતામણિ ] રાગાદિ હણતાં કર બને તેથી ભયંકર આપે છે, અખૂટ કરૂણ સર્વ પર તેથી સુરંકર આપ છે; આ બે ગુણોથી આપનું સામ્રાજ્ય સાચું માનીએ, નિરઆ ન કેઈ આપથી ગુરૂ પૂજ્ય! નમીએ આપને. ૫૦ T સ્પષ્ટાર્થ—અહીં પ્રભુમાં કયા કયા ગુણે વિરોધાભાસ રૂપે કેવી રીતે રહેલા છે તે જણાવે છે – હે પ્રભુ! તમે રાગાદિ શત્રુ એટલે રાગ, દ્વેષ, મેહ, અજ્ઞાન વગેરે મોટા અભ્યન્તર શત્રુઓ કે જે શત્રુઓને આધીન આ આખું જગત છે, અને જેની આગળ મેટા મેટા પુરૂષો પણ હારી ગયા છે તેવા રાગાદિ શત્રુઓને તમે જડમૂળમાંથી હણી નાખ્યા છે. આ શત્રુઓને હણતાં તમે ક્રર બન્યા છે તેથી તમે ભયંકર છે. અહીં પ્રભુ તે શાંત સ્વભાવના છે તે છતાં પ્રભુમાં ઔપચારિક ક્રૂરતા દેખાડીને ભયંકર કહ્યા તે વિરોધાભાસ છે. કહેવાને અર્થ એ છે કે કઈ પણ બાહ્ય શત્રુને હણ હોય તે માણસે તેની તરફ ક્રૂરતા દેખાડવી પડે છે. એટલે ક્રૂર અથવા નિર્દય બન્યા સિવાય શત્રુને હણ શકાતું નથી. તમે તે આ રાગાદિ મોટા શત્રુઓને હણ્યા છે તેથી તમને ક્રૂર કહ્યા, પરંતુ ખરી રીતે તે તમે શાંતિ (સમતા) ગુણે કરીને જ આ શત્રુઓને હણ્યા છે. તમે ભયંકર છે તે છતાં અહંકર એટલે સર્વ અને સુખી કરનારા અથવા સવ નું શુભ (ભલું-હિત) કરનારા છે. આ પ્રમાણે તમે ભયંકર છતાં અહંકાર છે તે વિરોધાભાસ માત્ર છે. કારણ કે રાગાદિ શત્રુઓને હણીને તમે તમારું ખરૂં આત્મ સ્વરૂપ પ્રગટ કર્યું છે, તે સાથે સર્વ જીને સુખી કરવાની તમારી ભાવના હોવાથી અને તે પ્રમાણે તેમને સુખી કરવાને તમારે ઉપદેશ હેવાથી આ બંને ગુણે એક સાથે તમારામાં શોભી રહ્યા છે. આ બે ગુણને લીધે અમે આપનું સામ્રાજ્ય એટલે ત્રણ લેકનું અધિપતિપણું સાચું માનીએ છીએ. આ કારણથી હે પૂજ્ય ગુરૂ! આપના કરતાં બીજું કઈ મેટું નથી એમ સમજી અમે આપને ખરા ભાવપૂર્વક વંદન કરીએ છીએ. ૫. 3 પ્રભુ! આપ મારી સ્તુતિતણા ગોચર થયા પુણ્યોદયે, અન્યમાં જે દેષ રૂપ તે આપમાં ગુણ રૂપ બને, મુક્તિની ઇચ્છા થકી પણ અધિક ઈચ્છા આપના, દર્શન તણી તે નિત્ય હો ભાવ એ મુજ દીલના. ૫૧ સ્પાર્થ –ઈન્દ્ર મહારાજ સ્તુતિની પૂર્ણતા કરતાં જણાવે છે કે-હે પ્રભુ! મારા પ્રબળ પુણ્યના ઉદયથી મને આપની સ્તુતિ કરવાને આ અવસર મળે છે. અથવા આપની સ્તુતિ કરવાને મને આ પ્રસંગ મળ્યો તે મારે પુણ્યને ઉદય માનું છું. કારણ કે પુણ્યના ઉદય વિના આ પ્રસંગે પ્રાપ્ત થતી નથી. હે પ્રભુ! બીજા પુરૂષોમાં જે દેષ ગણાય છે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005486
Book TitleDeshna Chintamani Part 06
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy