SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ આ ચાર ભાંગામાંથી સમજવાનું એ કે મહાભાગ્યદયે સંયમને પામેલા જીવે સંયમની સાધના કરવામાં આત્મવીર્યને પરમ ઉલ્લાસથી ફેરવીને સંસારની રખડપટ્ટીને સમૂળગો નાશ કરે. મહાપુણ્યશાલી છે જ એવી સ્થિતિને પામી શકે છે. આ પહેલા ભાંગામાં સૌથી ચઢીયાતા પ્રભુ શ્રી તીર્થંકર દેવે જાણવા. કારણ કે એ પરમ તારક મહાપુરૂષે સ્વપર તારક છે. તે સ્વયંસંબુદ્ધ છે, અને બીજા ભવ્ય અને ઉન્માર્ગથી પાછા ખસેડીને સન્માર્ગના રસ્તે દેરે છે અને પોતે કર્મના પંજામાંથી છૂટીને બીજા ને છૂટા કરાવે છે. પિતે રાગાદિ શત્રુઓને જીવે છે અને ભવ્ય જીને ઉપદેશ દઈને રાગાદિ શત્રુઓને જીતવાન ઉપાય જણાવે છે. તે પરમ તારકની દેશનામાં અપૂર્વ મધુરતા હોવાને લઈને તે દેશના પરમ આદેય (ગ્રહણ કરવા લાયક, સાંભળવા લાયક) ગણાય છે. તેમજ તે આદર્શ જીવનને પામવામાં પણ મદદ કરે છે. માટે જ તેને યથાર્થ રીતે સ્વપર હિતકારિણી કહીએ, તે પણ તે ઉચિત જ છે. આ વાતને લક્ષ્યમાં લઈને વિસ્તારથી સમજવાની ઈચ્છાવાલા ભવ્ય જેને ચાલુ ભાષામાં સરલ પદ્ધતિએ તે દેશનાને ગોઠવવાથી મહાલાભ થશે, આવા આવા અનેક મુદ્દા એને લક્ષ્યમાં રાખીને આ શ્રી દેશનાચિંતામણિ ગ્રંથની રચના મેં કરી છે. વીસ તીર્થકરોની વીશ દેશનાઓમાંથી પહેલા ભાગમાં શ્રી આદીશ્વર પ્રભુની દેશના જણાવી હતી. બીજા ભાગમાં શ્રી અજિતનાથ તીર્થંકરની દેશના, ત્રીજા ભાગમાં શ્રી સંભવનાથ તીર્થ કરની દેશના, ચોથા ભાગમાં ચોથા તીર્થકર શ્રી અભિનંદન સ્વામીની દેશના, પાંચમા ભાગમાં પાંચમા તીર્થકર શ્રી સુમતિનાથની દેશના, વિસ્તારથી જણાવીને આ છ ભાગમાં છ તીર્થકર શ્રી પહાપ્રભસ્વામીની દેશના તેઓશ્રીના જીવનના પ્રસંગે ૧૭૦ કરે ગોઠવીને વિસ્તારથી જણાવી છે. આ ક્કા ભાગના ૨૩૮ મૂલ લેકમાં શરૂ બાતના ૪ લેકમાં શ્રી અપરાજિત રાજાનું બાહ્ય જીવન અને અત્યંતર જીવન વર્ણવ્યું છે. તે ઉપરથી વાચકવર્ગને બંધ એ મળશે કે–પ્રભુ શ્રી તીર્થંકરદેવને પવિત્ર આત્મા પાછલા ભામાં પણ ઉચ્ચ સંસ્કારી જ હોય છે. જેથી રાજ્યની ઉપાધિ રૂપી જાળમાં ગુંથાયેલે છતાં પણ તે પુણ્યાત્મા આત્મલક્ષ્યને ચૂકતે જ નથી. પ્રબલ પુણ્યોદયે પામેલ નરભવાદિક સામગ્રીને સફલ કરવા માટે વૈરાગ્ય રંગથી રંગાઈને કેવી વિચારણું કરે છે? અંતે વિચારણાને અમલમાં મૂકીને કઈ રીતે ચારિત્ર ગ્રહણ કરે છે? ચારિત્રને ગ્રહણ કર્યા પછી પણ શ્રી ગુરૂમહારાજ તે પુણ્યાત્મા રાજર્ષિને કેવી કેવી હિતશિક્ષા આપે છે? અને તે પ્રમાણે સંયમ તપને પરમ ઉલાસથી આરાધતાં તીર્થકર નામકર્મને નિકાચિત બંધ કરીને અંતે આરાધના પણ કેવા પ્રકારની કરે છે? આ બધી હકીકત-પાંચમાં લેકથી માંડીને ૧૭ મા લેક સુધીના ૧૩ કલેકેમાં વિસ્તારથી ખુલાસા રૂપે સ્પષ્ટ સમજાવી છે. આ બીના સંયમજીવનને પમાડનારી, તે રસ્તે પ્રયાણ કરાવનારી, ને તેમાં ટકાવનારી છે. તેમજ ગુરૂભક્તિ, તપ, સંયમ, મૌન, આઠ પ્રવચનમાતાની આરાધના વગેરે સારા આલંબને શ્રમણ જીવનની ઉપર કેરી આબાદ અસર કરે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005486
Book TitleDeshna Chintamani Part 06
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy