SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ જેતા નથી. મરણ પ્રસંગે કકળ કરનારા જ શાથી રૂદન વિગેરે કરે છે? આ પ્રશ્ન વિચારતાં કારણ એ જણાય છે કે મરનાર માનવ પોતે પિતાની હયાતિમાં રૂદન કરનારા માનને સુખના ઈષ્ટ સાધને મેળવી આપતું હતું અને તેમને અનિષ્ટ વરાદિની વેદના ભેગવવા રૂપ માંદગીના પ્રસંગે નીરોગ બનાવવાને યોગ્ય ઈલાજ પણ કરતું હતું, તે પિતાને સ્વાર્થ સધાતે બંધ પડી ગયે, તેથી જ સગાં વિગેરે કુટુંબીઓ રૂદન કરે છે. તથા મારે આત્મા શાશ્વત છે. તે નિર્મલ જ્ઞાનાદિ ગુણોથી ભરેલો છે. એને સંયમની આરાધના કરવા રૂપ મુક્તિના બાદશાહી રસ્તે ચલાવીએ જ પરમાનન્દમય મુક્તિપદ મેળવી શકાય. જ્ઞાનાદિ ઉત્તમ આત્મિક ગુણે સિવાયના જે પદાર્થો છે, તે તે બાહ્ય ભાવ છે. મેહથી જ આત્મા એ સંબંધ ધરાવે છે કે એ વસ્તુઓ મારી છે પણ તેમ તે છેજ નહિ. જે તેમ હોય તે પરભવમાં જતાં જીવને જેમ જ્ઞાનાદિ ગુણે સાથે જાય છે, તેમ બાહા ભાવે પણ સાથે જવા જોઈએ. પણ જતા નથી જ. એથી સાબીત થાય છે કે મારી વસ્તુ તે જ્ઞાનાદિ ગુણે જ છે. બીજું નહીં જ. આવા ઉત્તમ વિચારે કરી શ્રી ધન્યકુમારે સિંહની જેવા પરાક્રમી બનીને સંયમ સ્વીકારી તેને સાધવામાં સિંહ જેવા શૂરવીર બનીને આત્મવીર્ય એવું ફેરવ્યું કે જેથી અલ્પ સમયમાં જ્યાં રહેલા દેવે નિશ્ચયે એકાવતારી જ હોય છે, એવા સર્વાર્થસિદ્ધ વિમાનના સુખો ભેગવી, અનુક્રમે ૩૩ સાગરે પમનું આયુષ્ય પૂરું થતાં મનુષ્યગતિમાં આવી ફરી તે ચારિત્રના જ પ્રભાવે મુક્તિપદ મેળવશે. એ પ્રમાણે બીજા પણ અનેક પુણ્યશાલી ભવ્ય જીવેએ વીલ્લાસ વધતાં એક વર્તમાન ભવમાં પણ નિર્વાણ લક્ષ્મી મેળવી છે. ૨. સિંહની જેવા શૂરવીર બનીને સંયમ પ્રહણ કરે, પણ તેવી જ રીતે સંયમને ઠેઠ સુધી અખલિત ભાવે સાધી શકે નહિ તે બીજે ભાંગે છે. અહીં જે ચારિત્રને લેતી વખતે સિંહ જેવા પરાક્રમી બને, પણ પાછળથી ખરાબ નિમિત્તોના સંસર્ગથી પતિત પરિણામી થાય, શિયાળ જેવા બની જાય એવા નું દષ્ટાંત આપી શકાય. આ બીજ ભાંગામાં રહેલા છમાં પણ કેટલાએક છે. પુણ્યદયે સારા નિમિત્તે પામી શ્રી આદ્ર. કુમારાદિની માફક ફરીથી પ્રથમ ભાંગાની સાધના કરી આત્મકલ્યાણ કરે છે. ૩. સંયમને ગ્રહણ કરતી વેળાએ કેટલાએક જી તથા પ્રકારના બેધને અભાવ વગેરે કારણેને લઈ શિયાળાના જેવા હોય, પણ સંયમને લીધા પછી શ્રીગુરૂ મહારાજની પરમ ઉલ્લાસથી ભક્તિ વિગેરે સંયમમાં ટકાવનાર સાધનની નિરંતર સેવનાથી સિંહના જેવા શૂરવીર બનીને સંયમને સાધે તે ભવ્ય જીવે “લેતાં શિયાળની જેવા, અને પાલવામાં સિંહની જેવા” આ ત્રીજા ભાંગામાં લઈ શકાય. ૪ સંયમ રહણ કરતી વેળાએ જે જ શિયાળ જેવા હેય, અને તેને પાલવામાં પણ તેવા જણાતા હોય, તે છે, “લેતાં શિયાળ જેવા, અને પાળતાં પણ શિયાળની જેવા” આ ચોથા ભાંગામાં લઈ શકાય. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005486
Book TitleDeshna Chintamani Part 06
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy