SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ મહાપ્રાચીન કાશાંખી નગરી. લેખક :---આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજયપદ્મસૂરિજી અનેક પ્રાચીન વસ્તુઓમાં વિશાલ વસ્રદેશના અલકાર તુલ્ય ઢાશાંબી નગરીને સ્થાન અપાયુ છે. એટલે અચેાધ્યા નગરી વગેરેની મીના જાણ્યા બાદ, આ નગરીને પણ સંક્ષિપ્ત ઈતિહાસ જાણવા જેવા છે. અહીં પ્રભુ શ્રી મહાવીરદેવને વંદન કરવા માટે ચંદ્ર અને સૂર્ય મૂલ વિમાનમાં બેસીને આવ્યા હતા, ત્યારે ચાતરમ્ પ્રકાશ ફેલાયા, જેથી સંધ્યા સમય ધ્યાન બહાર રહેવાથી, આર્યાં મૃગાવતીજી પ્રભુદેવના સમવસરણમાં વધુ વાર રોકાયા; જ્યારે ચંદ્ર સૂર્ય વંદન કરીને સ્વસ્થાને ગયા ત્યારે ચાતરફ અંધકાર ફેલાઈ ગયા. મહાસતી તે સાધ્વીજીએ જાણ્યું કે મારી મોટી ભૂલ થઇ. પ્રભુદેવના સમવસરણમાં રાતે રહી શકાય નહિ, એમ વિચારી તે જલ્દી ઉપાશ્રયે આવ્યાં. આ અવસરે પેાતાનાં ગુરુષીજી આદિ સાધ્વીએ આવશ્યક (પ્રતિક્રમણ ) કરી રહ્યાં હતાં. આ પ્રસ ંગે મૃગાવતીજી મૈં આર્યો ચંદનમાલા સાધ્વીએ ડપકા આપતાં જણાવ્યું કે—“ સંયમ સાધનામાં ઉદ્યમશીલ એવા તમારે આ પ્રમાણે કરવું ઉચિત નથી. શ્રમણધમ એ ઉપયાગ–પ્રધાન છે. સ્ખલનાનું કારણ્ અનુપયોગ ભાવ જ છે. આવું વચન સાંભળીને મૃગાવતીજી ગુરૂણીજીના પગમાં પડી ઘણા જ પશ્ચાત્તાપ કરવા લાગ્યાં, અને અપરાધને ખમાવતાં સર્વ જ્ઞાનમાં શિરામણ કૈવલજ્ઞાન પામ્યાં. અસ્તુ. 22 આ કૌશાંખીનગરીના કાટ મૃગાવતી ઉપર આસકત થએલા રાજા ચડપ્રદ્યાતે પેાતાની ઉજ્જયિની નગરીથી માંડીને ઠેઠ કૈશાંખીનગરી સુધી લાઇનબદ્ધ પુરુષ ગાઠવીને તેની મારફત ઇંટો મંગાવીને શીઘ્ર ખધાત્મ્યા હતા, જે હાલ પશુ ખડેર સ્થિતિમાં દેખાય છે. અહીં પૂર્વે શતાનીક રાજા રાજ્ય કરતા હતા. ત્યાર બાદ તે રાજા ( અને મૃગાવતી )ના પુત્ર ઉદાયી ( ઉડ્ડયન ) રાજા અહીની રાજ્યગાદી ઉપર આવ્યા. જે ગાંધ`વિદ્યા ( ગાયન કલા )માં હુંશિયાર હતા. અઠ્ઠીના વિશાલ ભવ્ય મંદિશમાં રહેલી દિવ્ય જિનપ્રતિમાઓ, જોનાર ભવ્ય જીવાને અપૂર્વ આહ્વાદ આપે છે. નગરીની ચારે માજી વિવિધ વને ( ખગીચા વગેરે ) શોભે છે, કે જે કાલિંદી નદીના જલની લહરીએના સંબંધથી પ્રફુલ્લિત દેખાય છે. પૂર્વે આપણા દેવાધિદેવ૧ શ્રમણ ભગવાન પ્રભુ શ્રી મહાવીરે ( ગુજરાતી તિથિ ) માગશર વિદ એકમે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવની અપેક્ષાએ અડદના બાકુલા વ્હારવાના ૧. દેવા પાંચ પ્રકારના છે. ૧. દ્રવ્યદેવ ( બદેવાયુષ્ક નરાદિ ), ૨. ભાવદેવ ( દેવાયુને ભાગવનાર ), -- દેવાધિદેવ ( અરિહંત ), ૪. નરદેવ ( ચક્રવર્તિ') અને ૫. ધ દેવ (મુનિવરે ), એમ શ્રી ભગવતી સૂત્રમાં કહ્યું છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005486
Book TitleDeshna Chintamani Part 06
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy