SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ કરશે તે માલૂમ પડશે કે એક ગતિમાં લાંબા કાલ સુધી ટકે એવું ખરું સુખ છે જ નહિ. છતાં ચેતીને ચાલનારા જે મનુષ્ય ગતિમાં જ મુક્તિના સાધન ભૂત પવિત્ર સંયમને સાધે છે, એ અપેક્ષાએ જ મનુષ્ય ગતિ ઉત્તમ કહી શકાય છે. એથી એમ સમજાય છે કે તમે પવિત્ર મનુષ્ય જીંદગી સંયમ સાધવાને માટે જ પામ્યા છે, નહિ કે પાપ કરવા માટે પામ્યા છે. નરકાદિ ગતિઓમાં મિથ્યાત્વાદિના પ્રતાપે નિકાચિત અવસ્થા સુધીના બાંધેલા કર્મો અહીં (મનુષ્ય ગતિમાં) નહિ ખપાવે તે બીજી કઈ ગતિમાં ખપાવશે? વિષયાસક્ત છે, અને નારકીએ દુખેથી ગભરાયેલા છે, તથા તિર્યએ વિવેક વિનાના છે. માટે કર્મોને ખપાવવાના સાધને અહીં મનુષ્ય ગતિમાં જ છે. એમ સમજીને જેવી શ્રી જંબુસ્વામી વિગેરે પુણ્યશાલી એ વિષ્ઠા અને મૂત્રાદિ અશુચિ પદાર્થોથી ભલી ચામડાની કેથળી જેવી સી અને ધન વિગેરેને મોહ છોડીને સંયમ પાળી કેવલી થઈને શિવલામી આદિ સંપદાએ મેળવી, અને ધન્યકુમાર તથા શાલિભદ્રે સંયમના જ પ્રતાપે અનુત્તર વિમાનના સુખ મેળવ્યા, તથા અવંતી સુકુમાવે નલિની ગુલ્મ વિમાનની ગાદ્ધિ મેળવી; તેવી રીતે જે તમારી જન્મ જરા અને મરણના દુખે ટાળીને મુક્તિના આશય સુખ પામવાની ઈચ્છા હોય તે પવિત્ર સંયમને સાધી લે. જો કે અત્યાર સુધી મોહના પંઝામાં તમે સપડાયા, તેથી તમારી ઘણું પાયમાલી થઈ છે. છતાં હજુ બાજી હાથમાં છે. અમારા કહ્યા પ્રમાણે હાલ પણ ચેતશે અને સંયમને સાધશે, તે જરૂર તમારું કલ્યાણ થશે.” આવા પ્રકારની ચારિત્ર મહારાજાની દેશના સાંભળીને મહારાજાના પંઝામાં સપડાયેલા ઘણું જીવે ચારિત્ર (ધારી ગુરૂ) મહારાજાની છાયામાં આવી નિર્મલ ધર્મારાધન કરવા લાગ્યા. હવે મહારાજા વિચારે છે કે જે હું સાવધાન થઈને કંઈ પણ ઉપાય નહિ કરું, તે મારૂં તમામ સિન્ય ચારિત્ર રાજાની પાસે જશે અને હું નિરાધાર બનીશ. હાલ પણ ધીમે ધીમે ચારિત્ર રાજાની પાસે મારું ઘણું સૈન્ય ચાલ્યું ગયું. એમ વિચારી ચારિત્ર રાજાના પક્ષમાં ગચેલાં તમામ જીને વશ કરવા માટે “શસ્ત્રપ્રયાગ કરતાં ઘણે સમય લાગે, અને ઘણું છ ભાગી પણ જાય.” તેથી તે મેહરાજાએ મંત્રપ્રયોગ કરવાને નિર્ણય કરી “અહં અને મમ” આ ચાર અક્ષરોને મંત્ર જાપ કર્યો, જેથી તેની અસર જે જીવોના ઉપર થઈ, તે બધા જ મુંઝાયા અને પિતાનું ખરું સ્વરૂપ ભૂલી ગયા. હું અને મારૂં એવા વિચારથી મોહને વશ થઈને તેઓએ અનેક આરંભ સમારંભ કરવા માંડ્યા. મંત્રને સાર એ છે કે હિત આત્માઓને કેઈ પૂછે કે આ ગામને અથવા નગરને શેઠિ કેણ છે? ત્યારે તે કહેશે કે હું આ ગામને અથવા નગરને શેઠિ છું. વળી કોઈ માણસ મહિત છને પૂછે છે કે આ લક્ષમી સ્ત્રી કુટુંબ ઘર દુકાન વિગેરે કાના છે? ત્યારે તે મૂઢ આત્માઓ કહેશે કે એ બધું મારું છે. એમ હું અને મારું એવા મહગર્ભિત વિચારથી મોહ રાજાના ગુલામ બનેલા છે તે સ્ત્રી કુટુંબ વિગેરે કે જે જન્મતાં ૧. આ નામનું વિમાન સૌધર્મ દેવલોકમાં છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005486
Book TitleDeshna Chintamani Part 06
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy