SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ દેશનાચિંતામણિ ] ૧૫૫ છ માસને ધસ્થ કાળ જાણ. પ્રભુએ દીક્ષા લીધા પછી તેમને છ મહિના પછી કેવલજ્ઞાન થયું છે. માટે દીક્ષા લીધી અને કેવલજ્ઞાન થયું તેની વચ્ચેને છ મહિનાને જે કાળ તે તેમને છઘસ્થપણાને કાળ જાણ. ર૨૫ પ્રભુને આયુષ્યને કાળ તથા આંતરાદિ જણાવે છે —સવાય ત્રીસ લખ પૂર્વ સુમતિ મુકિતથી આ આંતરું, ૧૫૭ નેવું સહસ કોડ સાગરે નિર્વાણ પામભ તણું, સહસ પેટ બેંતાલીસ વર્ષના દસ સહસ કેટીજ એ, અતર પક્ષ નવ્યાશી ચોથો અરક બાકી જાણીએ. ૨૨૬ સ્પાર્થ –એ પ્રમાણે ઉપરના લેકમાં જણાવેલ કુમાર અવસ્થા વગેરે અવા સ્થાઓને કાળ ભેગો કરતાં પ્રભુ શ્રી પદ્મપ્રભ સ્વામીનું સંપૂર્ણ આયુષ્ય ત્રીસ લાખ પૂર્વનું જાણવું. હવે સુમતિનાથ પ્રભુ મેક્ષે ગયા અને શ્રી પદ્મપ્રભ સ્વામી મોક્ષે ગયા તે વચ્ચે કાળ તે અહીં આંતરાને કાળ જાણ. તે કાળનું પ્રમાણ નેવું હજાર ક્રોડ સાગરેપમ (૧૫૭) જેટલું જાણવું. તે વખતે ચોથા આરાને શેષ કાળ દશ હજાર ઝાડ સાગરે. પમ ને નેવ્યાસી પખવાડીયામાં બેંતાલીસ હજાર વર્ષો (૧૫૮) ઓછાં હતાં. ચોથા આરાના એક કેડીકેડી સાગરેપમમાંથી બેંતાલીસ હજાર વર્ષ ઓછાં કરતાં, બાકી જે રહે તેટલે કાળ કહે છે. ૨૨૬ ઈન્દ્રાદિક દેવો પ્રભુની અન્ય વિધિ કરે છે તે જણાવે છેબાર અંતિમ સ્થાનકે પ્રભુ સુમતિની જિમ જાણવા,પ૯–૧૭૦ નિર્વાણ જાણી ઇંદ્રઆદિક સજ્જ અહિંયા આવવા; પરિવાર સાથે ભકિતભાવે અંત્ય વિધિ પૂરણ કરે, નંદીશ્વરે નિર્વાણ ઉત્સવ કરત સ્વર્ગે સંચરે. ૨૨૭ પબ્દાર્થ –એ પ્રમાણે શ્રી પદ્મપ્રભ સ્વામીના ૧૫૮ દ્વારે ગણાવ્યા. બાકીના છેલલાં ૧૨ સ્થાનકો દેશના ચિંતામણિના પાંચમા ભાગમાં શ્રી સુમતિનાથ ભગવાનનાં જે રીતે કહ્યાં છે તે પ્રમાણે જાણવાં. હવે પ્રભુ જ્યારે મેક્ષે ગયા તે વખતે પ્રભુને નિર્વાણ સમય જાણીને ઈન્દ્ર વગેરે દેવે પરિવાર સાથે તૈયાર થઈને સ્વર્ગમાંથી ત્યાં આવે છે અને પ્રભુની અંત્ય સમય ( નિર્વાણ કલ્યાણક)ની વિધિ ભક્તિ ભાવપૂર્વક કરે છે. આ વિધિનું વિસ્તારથી વર્ણન દેશના ચિંતામણિના પહેલા ભાગમાં શ્રી કષભદેવના ચરિત્ર પ્રસંગે કરેલું હોવાથી અહીંયાં જણાવ્યું નથી. અન્ય વિધિ પૂરી કરીને ઈન્દ્રાદિક દે શ્રી નંદીશ્વર દ્વીપે જાય છે. ત્યાં પ્રભુને નિર્વાણ મહેસૂવ કરીને પછી સ્વર્ગમાં પિતપોતાના સ્થાને જાય છે. ૨૨૭ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005486
Book TitleDeshna Chintamani Part 06
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy