SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ તે અવસર શું વારંવાર આવે ખરે કે? એટલે જેમ તેવી પીઠ અને તે અવસર આ બને વારંવાર મળવા દુર્લભ છે, તેમ મનુષ્યપણું પણ વારંવાર મળવું (તેથી પણ) વધારે દુલભ છે. માટે જ સમ્યગ્દષ્ટિ મહદ્ધિક દેવે પણ આ મનુષ્યપણને ચાહે છે. આ દેવામાં કેટલાક ભાવી તીર્થકરના પણ જીવે હોય છે. તેમને મનુષ્યપણું પામવાની તીવ્ર ઉત્કંઠા હોય છે. તેઓ એમ વિચારે છે કે કયારે અમે મનુષ્યપણું પામશું ? અને સર્વવિરતિ ચારિત્રની સાધના કરતાં કરતાં ક્ષેપક શ્રેણિમાં આરૂઢ થઈ ચારે ઘાતી કર્મો (જ્ઞાનાવરણીયદર્શનાવરણય-મોહનીય–અંતરાય) ને નાશ કરીને કેવલજ્ઞાન પામીને પિતાને ઉદ્ધાર કરવા સાથે બીજા પણ ભવ્ય અને સંસાર સમુદ્રને પાર પમાડીશું? આથી સહજ સમજાય છે કે મનુષ્યપણું દુર્લભ છે. એમાં પણ આર્ય દેશ અને ઉત્તમ કુળ મળવું દુર્લભ છે. કારણ કે અનાર્ય છે અને નીચ કુલમાં જન્મેલા જ અજ્ઞાન અને મોહને લઈને માનવ જન્મ પામ્યા છતાં પણ તેને હારી જાય છે. ૨ કૃતિ-શ્રી જિનેશ્વર પ્રભુની દેશના સાંભળવાથી મનુષ્ય જન્મને સફળ કરવા માટે આપણે કઈ કઈ ફરજ બજાવવી જોઈએ, એ બધું સમજી શકાય છે. અને તે પ્રમાણે વતીને માનવ ભવ સફલ કરી શકાય છે. આ મુદ્દાથી એમ કહ્યું કે મનુષ્યપણામાં શ્રીતીર્થ. કર પ્રભુની દેશના સાંભળવી એ દુર્લભ છે. ૩ શ્રધા–પુણ્યના ઉદયે કેઈક જ મનુષ્યપણું પામીને તીર્થકરની દેશના સાંભળે ખરા, પણ તે પ્રભુદેવના વચન ઉપર શ્રદ્ધા ન હોય તે તે સાંભળવું નકામું છે. એટલે જે ભવ્ય છે શ્રદ્ધા પૂર્વક પ્રભુની દેશના સાંભળે, તેઓ યથાર્થ ધર્મારાધન કરીને માનવ ભવ સફલ કરી શકે છે. આ મુદ્દાથી એમ કહ્યું કે શ્રદ્ધા ગુણ પામ દુર્લભ છે. પ્રભુ શ્રી તીર્થંકરદેવે કહેલી પદાર્થ તત્વની બીના સાચી જ છે તેમાં સંદેહ રખાય જ નહિ, કારણ કે પ્રભુદેવે અસત્યના બધાંએ કારણને નાશ કર્યો છે. આવી જે ભાવના તે શ્રદ્ધા કહેવાય. ૪ સંયમ–પહેલાં ત્રણ વાનાની જે દુર્લભતા જણાવી, તે ઉપરથી એ સમજવું કે તે ત્રણે સાધને સંયમના મદદગાર છે. એટલે મનુષ્ય ભવમાં શ્રી ગુરૂ મહારાજના સમાગમથી પવિત્ર વાણી સાંભળીને શ્રદ્ધા ગુણ પ્રકટ થાય, પણ સંયમની ખામી હોય તે મુક્તિપદ ન પામી શકાય. સંયમ ( ચારિત્ર) ગુણ પણ સહેજે પમાતે નથી, પણ સમ્યગ્દર્શન ગુણને પામતી વખતે જે સાત કર્મોની પાપમના અસંખ્યાતમા ભાગે કરી ન્યૂન એક કડાકડી સાગરોપમની સ્થિતિ હતી, તેમાંથી જ્યારે બે થી નવ પપમ પ્રમાણન ' સ્થિતિ ઓછી થાય, ત્યારે દેશવિરતિ ગુણ પ્રકટ થાય છે. અને તે ઉપરાંત જ્યારે સંખ્યાતા સાગરોપમ પ્રમાણ સ્થિતિ ઘટે ત્યારે સર્વવિરતિ ચારિત્ર ગુણ પ્રકટ થાય. આ કારણથી - ૧. તેટલી સ્થિતિવાલા કમંદલિકે ૨ ણચ િશ છે જિયપુર રાવળો કુબા મી * - જોવસમાચાઇ-સાજીંતા કુંતિ છે ? પ્રથમiાશ | Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005486
Book TitleDeshna Chintamani Part 06
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy