SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ દેશનાચિંતામણિ ] न चेन्द्रियाणां विजयः सर्वथैवापवर्तनम् । रागद्वेषविमुक्त्या तु, प्रवृत्तिरपि तज्जयः॥१॥ સ્પષ્ટાર્થ –“ઇદ્રિની પ્રવૃત્તિને સર્વથા રેધ કરે તેજ કાંઈ ઈદ્રિયને જય નથી. પરંતુ રાગ દ્વેષને ત્યાગ કરીને ઇંદ્ધિની પ્રવૃત્તિ કરવી તે પણ ઇંદ્રિયજય કહેવાય છે.” हताहतानीन्द्रियाणि, सदा संयमयोगिनाम् । अहतानि हितार्थेषु, हतान्यहितवस्तुषु ॥३॥ સ્પષ્ટાથે “સંયમધારી ગીઓનાં ઇંદ્રિયે હતા (અંધેલાં) અને અહત (પ્રવર્તાવેલાં) બંને પ્રકારનાં હોય છે. તેમાં હિતકારી સંયમાદિ કાર્યને વિષે અહત હેાય છે અને અહિતકારી જીવહિંસાદિને વિષે હત-અંધેલાં હેય છે.” આ પ્રમાણે સાંભળીને જયઠી પ્રતિબંધ પામે, અને જિનેશ્વરના ધર્મનું તત્વ સમજીને શ્રાવક ધર્મ પામે. એમ અનેક જનેને ધર્મમાં સ્થાપન કરીને પદ્યશેખર રાજા સ્વર્ગે ગયે. ગુણવાન એવા આસ્તિક પુરુષોએ નિર્મળ અંતઃકરણથી આ પત્રશેખર રાજાનું ચરિત્ર જાણીને જિનેશ્વરના મતને વિષે શુભ ઓસ્થા (શ્રદ્ધા) ધારણ કરવી.” ૧૯ } એક સાથે બે આયુષ્યને બંધ તથા ઉદય હાય નહિ તે સમજાવે છે – વિવિધ ધિધરા સુસંયત અપ્રમાદી તે લહે, એક ભવમાં ઉદય બંધ ન આઉ બેને જિન કહે, હોય સત્તા બેઉની પણ એક ચાલુ ભવ તણું, આગામિ ભવના આઉની તે અંતભાગે જીવનના. ૧૧૦ સ્પષ્ટાર્થ –તે ચોથું મનપર્યવ કેણ પામે તે જણાવતાં કહે છે કે વિવિધ પ્રકારની ઋદ્ધિવાળા, સુસંયત એટલે સંયમનું સારી રીતે પાલન કરનાર અને અપ્રમાદી એટલે અપ્રમત્ત દશામાં વર્તનારા અથવા અપ્રમત્ત સંયત નામના સાતમા ગુણસ્થાનકમાં વર્તન નારા ને મન પર્યવ જ્ઞાન ઉપજે છે. અહીં સમજવાનું એ કે–અપ્રમત્ત ગુણસ્થાને મન:પર્યવ પ્રથમ ઉત્પન્ન થાય પરંતુ તે અપ્રમત્ત સાધુ અંતર્મુહૂર્તને આંતરે આંતરે છ પ્રમત્ત ગુણસ્થાનકે જાય તે પણ તે મન:પર્યવ જ્ઞાન જતું રહેતું નથી માટે જ કહ્યું છે કે–છટ્ઠ પ્રમત્ત સંયત ગુણસ્થાનકથી માંડીને બારમા ક્ષીણ કષાય વીતરાગ છઘસ્થ ગુણસ્થાનક સુધીના સાત ગુણસ્થાનકમાં મનઃપય વિજ્ઞાન હોય છે. (૫૫) પ્રશ્ન—એક ભવમાં એક જીવને કેટલા આયુષ્યને બંધ ઉદય અને સત્તા હોય? ઉત્તર–એક ભવની અંદર એક જ આયુષ્યને એક જ વાર બંધ થાય છે. એક Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005486
Book TitleDeshna Chintamani Part 06
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy