SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ | શ્રીવિજયપધરિતછું. વળી તમારા ધ્યાનમાં વિનકારી પ્રશ્ન પૂછીને મેં જે ભૂલ કરી છે તથા સાંસારિક ભેગ ભેગવવા માટે જે મેં તમને અઘટિન નિમંત્રણ કર્યું છે તે સર્વ મારો અપરાધ ક્ષમા કરે.” આ પ્રમાણે કહી ભક્તિપૂર્વક તે મુનિની સ્તુતિ કરીને સર્વ રાજાઓમાં ચંદ્ર સમાન શ્રેણિક રાજા ધર્મમાં અનુરક્ત થઈ પિતાના અંતઃપુર અને પરિવાર સહિત પિતાની નગરીમાં આવ્યું. અમિત ગુણ સમૂહથી સમૃદ્ધ એવા તે નિર્ગસ્થ મુનિ પક્ષીની જેમ પ્રતિબંધ રહિતપણે પૃથ્વી ઉપર વિહાર કરી ત્રણ ગુપ્તિએ ગુપ્ત થઈને ઉગ્ર એવા ત્રણ દંડથી વિરામ પામી, મોહાદિકને નાશ કરી, સંવેગના પ્રભાવથી અનુક્રમે અક્ષય સુવાળા એક્ષપદને પામ્યા. (આ દષ્ટાંત સંવેગના સ્વરૂપને સમજાવવા માટે જ મેં જણાવ્યું છે. મૂલગ્રંથ સાથે તેને સંબંધ નથી.) ત્રીજા નિર્વેદ નામના લક્ષણની ટૂંક બીના આ પ્રમાણે જાણવું – संसारकारकागार-विवर्जनपरायणा। प्रज्ञा चित्ते भवेद्यस्य, तन्निर्वेदकवानरः ॥१॥ સ્પષ્ટાર્થ :–“જેના મનમાં કેદખાનામાંથી છૂટવાની દઢ બુદ્ધિ હોય છે, તે પુરુષ નિવેદવાળે કહેવાય છે.” નિર્વેદ ગુણથી દેવ, મનુષ્ય અને તિર્યંચ સંબંધી કામભેગને વિષે વૈરાગ્ય પામી અનુક્રમે ખરા નિર્વેદને પ્રાપ્ત થાય છે, અને સર્વ વિષયમાં વિરક્તિ થવાથી આરંભ પરિ. ગ્રહને પરિત્યાગ કરે છે. આરંભ પરિગ્રહને પરિત્યાગ કરવાથી સંસાર માર્ગને ઉચ્છેદ થાય છે, અને સિદ્ધિ (મોક્ષ) માર્ગની પ્રાપ્તિ થાય છે.” આ પ્રસંગ ઉપર હરિવહન રાજાની બીના ટૂંકામાં આ પ્રમાણે જાણવી –– ભગાવતી નામની પુરીમાં ઈન્દ્રદત્ત નામે રાજા હતો. તેને હરિવહન નામને પુત્ર હતે. તે હરિવહનને એક સુથારને પુત્ર તથા એક શ્રેષ્ઠીને પુત્ર એમ બે મિત્રે હતા. તે બંને મિત્રોની સાથે હરિવહન સ્વેચ્છાએ કીડા કરતું હતું. તે જોઈ રાજાએ એકદા દુર્વચનથી તેને તિરસ્કાર કર્યો, એટલે તિરસ્કારનું દુઃખ સહન ન થવાથી હરિવહન પિતાના બંને મિત્રે સહિત માબાપના સ્નેહનો ત્યાગ કરીને ત્યાંથી ચાલી નીકળ્યા. ચાલતાં ચાલતાં તે ત્રણે મિત્રે એક મોટા અરણ્યમાં જઈ પહોંચ્યા. ત્યાં તેમણે સુંઢને ઉલાળતે એક મન્મત્ત હાથી તેમના તરફ આવતે દીઠે. તેથી સુથારને અને વણિકને પુત્ર તે તેના ભયથી કાગડાની જેમ નાશી ગયા અને રાજપુત્ર તે શૂરવીર હતા, તેથી તેણે તે હાથીને સિંહનાદ વડે ચેષ્ટા રહિત કરી દીધું. પછી પિતાના બંને મિત્રની શોધ કરતા તે રાજપુત્ર આગળ ચાલ્યા. પરંતુ તેમની ખબર તેને મળી નહિ. અનુક્રમે ભમતાં ભમતાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005486
Book TitleDeshna Chintamani Part 06
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy