________________
પ
દેશનચિંતામણિ ] શકતે નથી; તે હવે આગામી કાળે અનાદિ સંસારમાં હું આવી વેદના કેમ સહન કરી શકીશ? માટે જે હું ક્ષણ વાર પણ આ વેદનાથી મુક્ત થાઉં તે તરત જ પ્રબજ્યા ગ્રહણ કરું, કે જેથી આગામી કાળે આવી વેદના સહન કરવી પડે નહીં.” હે રાજા! આ પ્રમાણે વિચાર કરતાં હું સૂઈ ગયો અને તરત જ મારી વેદના શાંત થઈ ગઈ. તેથી યેગ ને ક્ષેમને કરનાર હોવાથી આ આત્મા જ નાથ છે એ નિશ્ચય કરીને મેં પ્રાતઃ કાળે સ્વજનેને સમજાવી તેમની રજા લઈને ચારિત્ર અંગીકાર કર્યું તેથી હવે હું મારે તથા બીજા ત્રસાદિક ને પણ નાથ થયે, કેમકે યેગ ક્ષેમ કરનાર માત્ર આત્મા જ છે. વળી હે રાજન! બીજી રીતે પણ અનાથતા કહેલી છે. તે સાંભળે –
प्रव्रज्य ये पञ्च महाव्रतानि, न पालयन्ति प्रचुरप्रमादात् ।
रसेषु गृद्धा अजितेन्द्रियाश्च, जिनैरनाथाः कथितास्त. एव ॥१॥
સ્પષ્ટાથ:–“જેઓ પ્રવજ્યા ગ્રહણ કરીને અતિપ્રમાદને લીધે પાંચ મહાવ્રતનું પાલન કરતા નથી, તથા રસને વિષે આસક્ત રહે છે, અને ઇન્દ્રિયને નિયમમાં રાખતા નથી તેઓને જ શ્રીજિનેશ્વરે અનાથ કહેલા છે.”
निर्थका तस्य सुसाधुता हि, प्रान्ते विपर्यासमुपैति योऽलम् ।
न केवलं नश्यति चेहलोकस्तस्यापरः किंतु भवो विनष्टः ॥२॥
સ્પટાર્થ :–“જે સાધુ અંતે વિપરીત આચારણ કરે છે, તેનું સાધુપણું નિરર્થક છે, અને તેથી માત્ર આ લેક જ તેને નાશ પામે છે એમ નહી, પણ તેને પરભવ પણ નાશ પામે છે.”
निराश्रवं संयममात्मबुद्धया, प्रपाल्य चारित्रगुणान्वितः सन् ।
क्षिप्त्वाष्टकर्माण्यखिलानि साधुरुपैति निर्वाणमनन्तसौख्यम् ॥३॥
સ્પષ્ટાર્થ–“ચારિત્રના ગુણોથી યુક્ત એ સાધુ આત્મબુદ્ધિથી આશ્રવ રહિત સંયમનું પ્રતિપાલન કરીને સમગ્ર આઠે કર્મને ક્ષય કરી, અનંત સુખવાળા નિર્વાણ (મોક્ષ) પદને પામે છે.”
આ પ્રમાણે મુનિનાં વાક્ય સાંભળીને શ્રેણિક રાજા અત્યંત ખુશી થશે અને હાથ જેડીને તેણે કહ્યું કે “ મુનિરાજ ! તમે મને જે સનાથ અને અનાથપણાનું રહસ્ય કહ્યું તે ખરેખર સત્ય છે. તેમાં જરા પણ અસત્ય નથી. હે મુનિ! તમે મનુષ્ય જન્મ પામ્યા તે સફળ છે. જગતને વિષે તમે જ ઉત્તમ લાભ પામ્યા છે. વળી તમે શ્રીજિનેશ્વરના ધર્મને વિષે રહ્યા છે, તેથી તમે જ સનાથ છે અને તમે જ બંધુયુક્ત છે. વળી તમે જ ખરેખરા ચારિત્ર લીધું ત્યારથી સ્થાવર અને જંગમ એવા અનાથ પ્રાણીઓના નાથ થયા છે; તેથી હું મારા અપરાધને નાશ કરવા સારુ તમને ખમાવું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org