SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ( શ્રી વિજથપારિકૃત એકાદશાંગી શ્રતધરા એકાદિ સ્થાનક સાધતા, - જિનનામ કર્મ નિકાચતા ઉપસર્ગ પરીષહ જીતતા. ૬૧ સ્પાઈ–ત્યાર પછી વિમલકીર્તિ રાજા વગેરે ગુરૂ મહારાજ તથા નવા દીક્ષિત આદિ અન્ય સાધુ મહારાજાઓને વંદન કરીને પોતપોતાના સ્થાનકે ગયા. હવે વિપુલવાહન રાજર્ષિ રાગદ્વેષાદિ શત્રુઓને જીતીને દીક્ષાને ઘણા આનંદથી પાલવા લાગ્યા. વિહારદિના અનુક્રમે અભ્યાસ કરીને તેઓએ અગિઆર અંગ સુધી અભ્યાસ કર્યો. ત્યાર પછી તેઓએ વીસ સ્થાનકે માંથી એક બે સ્થાનકેની ભાવપૂર્વક સાધના કરી તે ભવમાં જિન નામ કમને એટલે તીર્થકર નામ કમને નિકાચિત બંધ કર્યો. અને તેમણે ઉપસર્ગોને તથા પરીષહોને જીત્યા. ચારિત્રનું પાલન કરવામાં દેવ, મનુષ્ય અગર તિર્યંચ તરફથી જે વિઘ કરવામાં આવે તે ઉપસર્ગો કહેવાય છે. અને ચારિત્રમાં ભૂખ, તરસ, ટાઢ, તડકે વગેરે સહન કરવા પડે તે પરીષહે કહેવાય છે. મુખ્યપણે બાવીસ પરીષહ કહેલા છે. ૬૧. વિપુલવાહન રાજર્ષિનું આનત દેવલોકમાં ગમન જણાવે છે – બહુ કાલ દીક્ષા પાલતા અનશન ગ્રહી અંતિમ ક્ષણે, આરાધના રંગે કરત પામ્યાજ આનત સ્વર્ગને દેહ કર ત્રણ વર્ણ ધોળે સર્પ મુકેટે ચિહ્નને, ઓગણીશ અઢાર સાગર જાણ ગુરૂ લઘુ આયુને. ૬૨ સ્પષ્ટથી–ગુરૂની સાથે રહીને વિપુલવાહન રાજર્ષિએ ઘણા કાલ સુધી સુંદર રીતે ચારિત્રનું પાલન કર્યું. અંતિમ ક્ષણ એટલે મરણ વખત નજીક આવ્યું ત્યારે તેમણે અનશન કર્યું. તેમાં હર્ષ પૂર્વક આરાધના કરીને આનત નામના દેવલોકમાં ઉત્પન્ન થયા. ત્યાં વેકિય તિજસ અને કાર્યણ એ ત્રણ શરીર હોય છે. તેમજ તેમના શરીરનું પ્રમાણ ઉત્કૃષ્ટથી ત્રણ હાથનું હોય છે. વળી તેમના મુગુટને વિષે સર્પનું ચિ હોય છે. આ દેવલોકમાં જઘન્યથી અઢાર સાગરોપમનું ને ઉત્કૃષ્ટથી ઓગણીસ સાગરેપમ પ્રમાણ આયુષ્ય હોય છે. આ દેવકનું વિશેષ સ્વરૂપ આગળની બે ગાથામાં જણાવે છે. ૬૨. આનત દેવકનું રવરૂપ બે ગાથામાં જણાવે છે – નવમા દશમા સ્વર્ગના શત ચઉ વિમાનો જાણીએ. - બેઉના એંશી સહસ સુર આત્મરક્ષક ધારીએ; વીશ સહસ સામાનિકામર સપ્તતિશતસ્થાનકે, ઈમ કહ્યું તે મુનિ થયા સુર સાતમા ગ્રંયકે. ૬૩ સ્પષ્ટાર્થ –વૈમાનિક દેના મુખ્ય બે ભેદ છે. પહેલા કોપપન્ન એટલે સ્વામી સેવક ભાવવાળા, તથા બીજા કપાતીત એટલે સ્વામી સેવક ભાવ વિનાના દે અથવા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy