SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ નિચિંતામણિ ] અહમિન્દ્ર દેવો. પહેલા પ્રકારમાં બાર દેવલોકના દેવ ગણાય છે, અને બીજા પ્રકારમાં નવ વૈવેયક તથા પાંચ અનુત્તરવાસી દેવે ગણ્યા છે. બાર દેવલોકની અંદર નવમે આનત નામે દેવલોક છે અને દશમો પ્રાકૃત નામે દેવક છે. આ બંને દેવલોકનાં કુલ ચાર વિમાને છે. આ બે દેવકના ઇદ્રને એંસી હજાર આત્મરક્ષક દેવ હોય છે. જે દે મુખ્ય દેવની એટલે ઈન્દ્રની રક્ષા કરે છે તે આત્મરક્ષક દેવો કહેવાય છે. તથા તે ઈંદ્રને વીસ હજાર સામાનિક દેવો હોય છે. જે દેવો ઇન્દ્ર નથી પરંતુ જેમની ઈન્દ્ર સરખી ઋદ્ધિ છે તે સામાનિક દેવો કહેવાય છે. આ પ્રમાણે ત્રિષષ્ઠિ શલાકા પુરૂષ ચરિત્રમાં કહ્યું છે. પરંતુ સતિશત સ્થાનક નામના ગ્રંથમાં તે વિપુલવાહન રાજર્ષિ નવ વેયકમાંના સાતમા શૈવેયકમાં દેવ થયા એ પ્રમાણે કહ્યું છે. ૬૩ બે હાથ તન તે વેત ઓગણત્રીસ અઠ્યાવીશ એ, આયુ સાગર અલ્પ ફલ એ મેક્ષ ફલ ગુરૂ માનીએ; સ્વર્ગમાં પણ પર સુરેથી શ્રેષ્ઠતા તે સુરતણી, જિનપૂજનાદિક રંગ ચગે નિર્જરા કરતા ઘણું. ૬૪ સ્પદાર્થ –આ સાતમા વેયકના દેવોના શરીરનું ઉત્કૃષ્ટ પ્રમાણુ બે હાથનું કહેવું છે. તેઓને શ્વેત વર્ણ હોય છે. અહીં આ દેવેનું જઘન્યથી અઠ્ઠાવીસ સાગરોપમનું આયુષ્ય હોય છે અને ઉત્કૃષ્ટથી ઓગણત્રીસ સાગરોપમનું આયુષ્ય હોય છે. આ દેવતાઈ સુખ તે ચારિત્રનું અ૯પ ફળ સમજવું. એટલે ઉત્કૃષ્ટ ફલરૂપ મોક્ષમાં જતાં વિસામા સમાન આ દેવભવ છે એમ જાણવું. સ્વર્ગની અંદર પણ બીજા દેવોની અપેક્ષાએ આ દેવની એટલે તીર્થકર થનારા દેવોની મનોભાવનાદિની બાબતમાં શ્રેષ્ઠતા અથવા ઉત્તમતા હોય છે. આ દેવ જિનેશ્વરની પૂજા વગેરે ધાર્મિક કાર્યો ભાવપૂર્વક કરીને કર્મની ઘણી નિર્ભર કરે છે એટલે ઘણું કર્મોને અપાવે છે. ૬૪ દેવલોકમાં તે કેવી રીતે કાળ ગાળે છે તે જણાવે છે – કયારે લહી હું મનુજ ભવને સાધતા ચારિત્રને, સ્વ પર તારક થઈ લહીશ નિવણ એવા ભાવને, રાખતા આનંદમાં દેવાયુને પૂરણ કરી, ઉદયથી મનુજાયુના સુરદ્ધિ આદિક પરિહરી. ૬૫ સ્પષ્ટાર્થ –આનત દેવલોકની અંદર રહેલ તે વિપુલવાહન રાજાને (ભાવી ત્રીજા શ્રી સંભવનાથનો) જીવ દેવલોકમાં એવી ભાવના ભાવે છે કે હું ક્યારે મનુષ્ય ભવ પામીશ ને તે મનુષ્ય ભવમાં ચારિત્ર લઈને સ્વપર તારક એટલે પિતાને તથા પરને ક્યારે તારનાર થઈશ ને કયારે નિર્વાણ એટલે મોક્ષને પામીશ? આવી ભાવના પૂર્વક આનંદથી વર્તમાન દેવભવનું આયુષ્ય પૂરું કર્યું. ત્યાર પછી તે દેવ મનુષ્ય આયુષ્યને ઉદય થવાથી દેવતાની Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy