SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ જ શ્રી વિજયપઘસરિતજ્ઞાનને મેળવવામાં લીન થશે, ને ધર્મ સ્થાન પણ ધ્યાવીને આત્માને પણ જરૂર નિર્મલ બનાવશે. ૧૧. બેધિ દુર્લભત્વ ભાવના–બાધિ એટલે સમ્યકત્વ અથવા અવિચ્છિન્ન પ્રભાવશાલી ત્રિકાલાબાધિત શ્રી જિનેશ્વર દેવે કહેલે જિન ધર્મ પણ બધિ શબ્દના અર્થ તરીકે લઈ શકાય. આ સંસારી જીવ અહીં (ભયંકર સંસાર રૂપી અટવીમાં) પૃથ્વીકાયાદિ પાંચ સ્થાવરોમાં ચીકણાં કર્મોના ઉદયને અનુસારે અનંતા પુદ્ગલપરાવર્તી સુધી ભમતાં ભમતાં સ્વભાવાદિ કારણોમાંના કેઈ પણ કારણથી થયેલી અકામ નિર્જરાના ગે; પુણ્યકર્મોને ઉદય થતાં બેઈદ્રિય આદિ સ્વરૂપ ત્રિપણું પામે છે. આ રીતે કમસર પુણ્યદય વધતાં લઘુકર્મી તેજ જીવ કે આર્ય ક્ષેત્ર, ઉત્તમ જાતિ, કુલ, શરીર, આરોગ્ય, ધન તથા સંપત્તિ, રાજય, સારા સુખના સાધને પામે છે. પણ સર્વજ્ઞ પ્રભુએ કહેલ તત્ત્વ અને અતત્ત્વભૂત પદાર્થોનું વિવેચન કરાવનાર તથા મોક્ષના સુખને પમાડનાર ઉત્તમ બોધિ ગુણને તે પામ્યા જ નથી. આ જીવ જે તે ગુણ પામે , તો તેને અત્યાર સુધી જે સંસારમાં ભટકવું પડે છે, તે હોય જ નહી. અા બોધિ ગુણને પ્રભાવ છે કે જેના પ્રતાપે આ જીવને લાંબા કાળ સંસારમાં ભમવું પડે જ નહીં. એ જ પ્રમાણે આ જીવ દ્રવ્યચારિત્રને પણ ઘણીવાર પામ્યો છે, પણ નિર્મલ જ્ઞાન ગુણને પ્રકટ કરાવનાર બેધિગુણને તો ક્યારે પણ પામ્યો નથી. કારણ કે તે બેધિગુણને ધારણ કરનારા અલ્પ કાળમાં જરૂર સિદ્ધપદને પામે છે. માટે જ કહ્યું છે કે–જેઓ સિદ્ધપદને પામ્યા છે, પામે છે, ને પામશે, તેમાં અસાધારણ કારણ આ બોધિ ગુણની આરાધના જ છે. એમ સમજીને હે જીવ! આ બધિ ગુણની જરૂર આરાધના કરજે અને તેને ટકાવજે કે જેના પરિણામે તને સિદ્ધિના સુખ જરૂર મળશે. ૧૨. દયામય ધર્મના કહેનાર અરિહંત પ્રભુનો ભાવના-જેઓ કેવલ જ્ઞાન રૂપ પ્રકાશથી ચૌદરાજ લેકમાં ને અલકમાં રહેલા તમામ દ્રવ્ય ગુણ પર્યાયોને જાણે છે, તે જ અરિહંત દેવે સાચા ધર્મને કહેવાને સમર્થ છે. કારણ કે તે વીતરાગ દેવે જ્યાં જ્યાં વિચરે છે, ત્યાં સર્વ સ્થલે પરોપકારને જ કરવામાં પ્રયત્નશીલ હોય છે. એટલે ધર્મોપદેશ દઈને ભવ્ય જીને મેક્ષમાર્ગની આરાધના કરાવી મુક્તિના સુખ પમાડે છે, માટે અસત્ય બોલવાના કોઇ લેભ ભય હાસ્યાદિ કારણોને નાશ કરનાર તે અરિહંતદેવે હું બેલેજ નહી. આજ કારણથી તેમણે કહેલ ધર્મ સાચે જ . એમ આપણે શ્રદ્ધાપૂર્વક માનવું જોઈએ. ૧-૨ ક્ષમા, નમ્રતા, સરલતા, સંતેષ, તપ, સંયમ, સત્ય, શૌચ, અકિંચનપણું, બ્રહ્મચર્ય આ રીતે દશ પ્રકારે ધર્મની સાત્વિકી આરાધના કરવાથી જરૂર સંસારરૂપ સમુદ્રને તરી જવાય છે. એ ૩ અન્ય ધમીએ ઈચ્છાનુસારે જે વિચિત્ર પ્રકારના વચને બોલે છે, તે વચને પૂર્વાપર વિરૂદ્ધ અને હિંસાદિને કરાવનારા છે. એટલે ભવભ્રમણ કરાવનારા છે. આવા મિથ્યાદષ્ટિ જીએ કહેલ દુર્ગતિને દેનાર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy