SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ દેશનાચિંતામણિ ] રહેલા ૪ર સૂર્યો ને ૪૨ ચંદ્ર અને પુષ્કરવર દ્વીપાધના ૭૨ સૂર્યો ને ૭૨ ચંદ્રમા. સર્વ મળીને અઢીદ્વીપમાં ૧૩૨ સૂર્યો, ને ૧૩૨ ચંદ્રો હોય છે. અઢી દ્વીપની હારના સૂર્યો ને ચંદ્રો સ્થિર હોય છે. એ ૩૭–૩૮-૩૯-૪૦-૪૧-૪૨ સમભૂમિતલથી ઉપર દોઢ રાજલક છેટે દક્ષિણમાં સૌધર્મ અને ઉત્તરમાં ઇશાન દેવલેક સામ સામી રહ્યા છે. ને અઢી રજજુ (રાજલોક) છે. સનકુમાર ને મહેન્દ્ર દેવલોક સામ સામી શાશ્વત ભાવે રહ્યા છે. ત્યાંથી ઉપર ઉર્વીલોકના બરોબર મધ્યભાગમાં બ્રહ્મ દેવલોક કહ્યો છે. તેની ઉપર અનુક્રમે એક બીજાની ઉપરના ભાગમાં લાંતક, મહાશુક, ને સહસ્ત્રાર દેવલોક કહ્યા છે. એટલે લાંતકની ઉપર મહાશુક ને તેની ઉપર સહસ્ત્રાર દેવલોક છે એમ જાણવું. સમભૂમિ તલથી ઉપર આ સહસ્ત્રાર દેવલોક પાંચ રજજુ દૂર છે. તેની ઉપર અનુકમે દક્ષિણમાં ને ઉત્તરમાં સામસામી ચંદ્રની જેવા ગોળ આનંત, પ્રાણત દેવલોક રહ્યા છે. અને તેની ઉપર એજ પ્રમાણે સામસામી ચંદ્રની જેવા ગોળ આરણ અય્યત દેવલોક રહ્યા છે. અહીં ૬ રજજુની હદ પૂરી થાય છે. આ રીતે બાર દેવલોકના ૧૦ ઇંદ્રો હેય છે. કારણ કે આનત પ્રાણત દેવલેકને એક ઇંદ્ર, ને આપણ અયુત દેવલોકને પણ એક ઇદ્ર હોય છે. એટલે છેલ્લા ચાર દેવલોકમાંના બે બે દેવકને સ્વામી એકેક ઈંદ્ર હવાથી બાર દેવલોકના ૧૦ ઇંદ્રિો જાણવા- ૪૩-૪૪-૪૫-૪૬-૪૭ા બાર દેવલોકની ઉપર નવ વેયક દેવના વિમાને રહ્યા છે. ને તેની ઉપર પૂર્વમાં વિજય વિમાન, દક્ષિણમાં વૈજયંત, પશ્ચિમમાં જયંત, ને ઉત્તરે અપરાજિત, તથા મધ્યમાં સર્વાર્થસિદ્ધ વિમાન રહ્યું છે. આ રીતે પાંચ અનુત્તર વિમાને સર્વ દેવલોકેની ઉપર રહ્યા છે એમ સમજવું. છે ૪૮-૪૯-૫ સૌધર્મ દેવલોકના દેવોથી માંડીને ઉપર ઉપરના દેવકના દેના સ્થિતિ પ્રભાવ-લેશ્યા-વિશુદ્ધિ, અવધિજ્ઞાનને તેજ તથા સુખ વગેરે અનુક્રમે વધતા વધતા હોય છે. પણ શરીરની ઉંચાઈ, ગતિ, ગર્વ અને પરિગ્રહ તો ઘટતા ઘટતા (ઓછા ઓછાજ) હોય છે. જે ૫૧ ૫૨ ૫ બાર દેવલોકમાંના પહેલા બે દેવલોક ઘને દધિના આધારે, ને ત્રીજા ચોથા પાંચમા દેવલોકના વિમાને વાયુના આધારે રહ્યા છે. તથા છઠ્ઠા સાતમા આઠમા દેવલેકના વિમાને વાયુ અને ધનદધિના આધારે રહ્યા છે. તેમજ તેની (સહસ્ત્રાર દેવલોકની) ઉપરના તમામ વિમાન આકાશ પ્રતિષ્ઠિત છે. જે ૫૩-૫૪ સર્વાર્થસિદ્ધ વિમાનથી ઉચે બાર યોજન દર જે સિદ્ધશિલા રહી છે, તે હિમના જેવી સફેદ ને સ્ફટિક જેવી નિર્મલ છે, તથા ૪૫ લાખ જન પ્રમાણુ લાંબી પહોળી છે. તેમજ તેની મધ્ય ભાગે જાડાઈ ૮ જન પ્રમાણ છે. તેનું બીજું નામ ઇષ~ાભાર પણ છે. અહીં ઉપરના છેલ્લા એક ગાઉના છઠ્ઠા ભાગમાં લોકાંતને સ્પર્શીને શાશ્વતા અનંત જ્ઞાનાદિ ગુણેને ધારણ કરનારે સિદ્ધ ભગવંતો રહે છે. જે ૫૫-૫૬-૫૭-૫૮ હે ભવ્ય છે. જો તમે આ લેક સ્વભાવ ભાવનાને નિરંતર સ્થિર ચિત્તે ભાવશે, તે તમારું મન સંસારને વધારનાર વિષય કષાયાદિની ભાવનાથી ખસીને વિવિધ પદાર્થોના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy